સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના હોદ્દેદારો, પુર્વ હોદેદારો સહીત અંદાજે 30થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે. જ્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠીત થઈ એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું.