ગુજરાત

gujarat

વલસાડમાં ACBએ ઉપસરપંચ અને તલાટીના મળતીયાને લાંચ લેતા રંગે હાથ દબોચ્યો

By

Published : Aug 5, 2019, 8:27 AM IST

વાપી : વલસાડ જિલ્લામાં પારસીઓના પવિત્ર ધામ તરીકે જાણીતા ઉદવાડા ગામના ઉપસરપંચ અને તલાટી વતી જમીન ખરીદીના થરાવની અવેજી પેટે 45 હજારની લાંચ માગનાર તેમનો મળતીયો ACBના છટકામાં આવી ગયો છે.

વલસાડ જિલ્લામાં ACBએ ઉદવાડાના ડેપ્યુટી સરપંચ અને તલાટીના મળતીયાને 45 હજારની લાંચ લેતા દબોચી લીધો

આ અંગે ACBએ જાહેર કરેલ વિગત મુજબ ઉદવાડા ગામમાં રહેતા એક જાગૃત નાગરિક ઉદવાડા ઝરી ફળિયામાં 2 એકર જમીન ખરીદવા માંગતા હતા. જેના માટે ગ્રામ પંચાયતના ઠરાવની જરૂર હોય છે તેથી તેને પંચાયતમાં અરજી કરી હતી. ત્યાર બાદ આરોપી ધીરૂભાઈ આહિરનો સંપર્ક કરતાં તેણે ઠરાવના અવેજ પેટે પપ્પુભાઈ પટેલ ઉપસરપંચ ઉદવાડા ગામ, અને વિમલભાઈ ટંડેલ - તલાટી કમ મંત્રી ઉદવાડાના વતી તેઓનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી, આ ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવામાં આવ્યું હતું જેમાં આરોપી ધીરૂભાઈ આહિર, પપ્પુભાઈ પટેલ અને વિમલભાઈ ટંડેલનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતો. જેની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:વાપી :- વલસાડ જિલ્લામાં પારસીઓના પવિત્ર ધામ તરીકે જાણીતા ઉદવાડા ગામના ડેપ્યુટી સરપંચ અને તલાટી વતી જમીન ખરીદીના થરાવની અવેજી પેટે 45 હજારની લાંચ માગનાર તેમનો મળતીયો ACB ના છાંટકામાં આવી ગયો છે. જિલ્લામાં એક તરફ બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે, બીજી તરફ લાંચિયા ડેપ્યુટી સરપંચ-તલાટીનો મળતીયો ACB ના છાંટકામાં આવી જતા જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.Body:આ અંગે ACB એ જાહેર કરેલ વિગત મુજબ ઉદવાડા ગામમાં રહેતા એક જાગૃત નાગરિક ઉદવાડા ઝરી ફળિયામાં 2 એકર જમીન ખરીદવા માંગતા હતા. જેના માટે ગ્રામ પંચાયતના ઠરાવની જરૂર હોય પંચાયતમાં અરજી કરી હતી. ત્યાર બાદ આરોપી ધીરૂભાઈ નારણભાઈ આહિર (પ્રજાજન )

રહેવાસી કોલક ગામ, સાગરી કાંઠા, તા. પારડી, જી. વલસાડનો સંપર્ક કરતાં તેણે ઠરાવના અવેજ પેટે પપ્પુભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉદવાડા ગામ, અને વિમલભાઈ ટંડેલ, તલાટી કમ મંત્રી, ઉદવાડાના વતી તેઓનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.


ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપતા, જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપી ધીરૂભાઈ નારણભાઈ આહિર, પપ્પુભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉદવાડા ગામ, અને વિમલભાઈ ટંડેલ, તલાટી કમ મંત્રી, ઉદવાડાના વતી તેઓનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતો.


જેની વિરુદ્ધ ટ્રેપીંગ અધિકારી બી.જે.સરવૈયા,

પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી પો.સ્ટે., નવસારી તથા ટીમ અને સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, એક તરફ વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. ત્યારે, બીજી તરફ ACB એ ભ્રષ્ટાચારી તલાટી અને ડેપ્યુટી સરપંચ ના મળતીયાને 45000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details