ગુજરાત

gujarat

તાપીના ડોસવાડા ગામે ઝિંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો, પોલીસ પર કર્યો પથ્થરમારો

By

Published : Jul 5, 2021, 6:56 PM IST

Updated : Jul 5, 2021, 8:05 PM IST

ઝીંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે શરૂ થઈ રહેલી ઝીંક કંપની ( Hindustan Zinc Limited )ના વિરોધને લઈને આજે સોમવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( Gujarat Pollution Control Board ) દ્વારા લોક સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી. પરંતુ સ્થાનિકો દ્વારા વિરોધ કરાતા આ ( Public Hearing ) સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. આથી, વિફરેલું ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને પોલીસની ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોચાડ્યું હતું. આ ઉપરાંત, ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

  • ગ્રામજનોએ લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી
  • મોકૂફ રાખ્યા બાદ ગ્રામજનો દ્વારા ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો
  • ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરી ગાડીઓને ભારે નુકસાન પહોંચાડ્યું

તાપી : ડોસવાડા ગામે હાલ શરૂ થવા જઈ રહેલી મેસર્સ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ કંપની ( Hindustan Zinc Limited )ના વિરોધને લઈને આજે સોમવારે લોક સુનાવણી ( Public Hearing ) રાખવામાં આવી હતી. જોકે 11 વાગે શરૂ થયેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( Gujarat Pollution Control Board ) દ્વારા સુનાવણીમાં આજુબાજુના 10 કિલોમીટર સુધીના ગામોના લોકો વિરોધના બેનર સાથે ત્યાં ઉમટી પડ્યા હતા અને લોક સુનાવણી રદ કરવાની માંગણી કરી હતી. લોકોનો રોષ જોઈને વહીવટીતંત્ર દ્વારા આ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

ઝીંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો

આ પણ વાંચો:સુરતમાં શિખ સમુદાયને સુરક્ષા આપવા રાષ્ટ્રીય શિખ સંગતની માગ

પોલીસે ટોળાને હટાવવા ટીયરગેસના સેલ છોડ્યા

સુનાવણી મોકૂફ રાખ્યા બાદ ગ્રામજનો દ્વારા ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેથી, પોલીસે તેઓને હટાવવા માટે કામગીરી શરૂ કરી હતી, પરંતુ બેકાબું બનેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત, ત્યાં ઉભી રહેલી પોલીસની ગાડીઓનાં કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જેથી પોલીસે પણ સામે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ પથ્થરમારામાં 7થી 8 જેટલા પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જેઓને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Road Accident: જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત

કંપની આવવાથી પ્રદૂષણ ફેલાવવાની રાવ

ઝિંક લિમિટેડ કંપની લોક સુનાવણીને લઈ ડોસવાડા ગામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. સોનગઢ તાલુકાના વિવિધ આદિવાસી સંગઠનો સહિત સામાજિક, રાજકીય આગેવાનો અને વિવિધ ગામોથી આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આજુબાજુના 45થી વધુ ગ્રામજનોએ આ કંપની આવવાથી પ્રદૂષણ ફેલાશે અને પર્યાવરણને નુકસાન થશે તેવું જણાવીને વિરોધ શરૂ કર્યો હતો. આથી, સુનાવણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી.

વિફરેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો

આ સુનાવણી દરમિયાન જોતજોતામાં માહોલ ગરમ થઈ જતા વહીવટી તંત્ર દ્વારા આ લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ, થોડી ક્ષણોમાં જ લોકો દ્વારા ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ ભીડને દૂર કરવા માટે પોલીસે પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે વિફરેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો અને પોલીસની ગાડીઓના કાચ તોડી તેમની ઉંધી વાળી દીધી હતી. પથ્થરમારામાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા લાઠીચાર્જ અને ટીયરગેસ છોડવા પડ્યા હતા. ડોસવાડામાં વાતાવરણ તંગ બની જતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીઓને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Last Updated :Jul 5, 2021, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details