ગુજરાત

gujarat

દેશનું આ એક માત્ર શિવ મંદિર જેનું સંચાલન કરે છે પોલીસ

By

Published : Aug 2, 2022, 1:03 AM IST

દેશનું આ એક માત્ર શિવ મંદિર જેનું સંચાલન કરે છે પોલીસ

આજે શ્રાવણનો પહેલો સોમવાર શહેરના શિવ મંદિરો હરહર મહાદેવ થી ગુંજી ઉઠ્યું છે. સુરતમાં ઈચ્છા મહાદેવ મંદિર (Surat Ichhanath Mahadev )જે વિશ્વનું પહેલું મંદિર છે જે સુરત પોલીસ દ્વારા (Surat Police)ચલાવવામાં આવે છે. તથા આ મંદિરને સુરતનું તીર્થ પણ માનવામાં આવે છે.

સુરતઃઆજે શ્રાવણનો પહેલો સોમવાર શહેરના શિવ મંદિરો(Shravana masa 2022) હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું છે. ત્યાંજ વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ ફરી ભક્તોનો ધસારો(Surat Ichhanath Mahadev )જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મંદિરોમાં પ્રસાદની સામગ્રીઓ ચઢાવવામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ હવેથી આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને ભાવિક ભક્તો મંદિરોમાં ફુલપ્રસાદની સામગ્રી લઈ જઈ શેકે છે.

શિવ મંદિર જેનું સંચાલન કરે છે પોલીસ

વિશ્વનું પહેલું મંદિર જે સુરત પોલીસ ચલાવે -આ ઈચ્છા મહાદેવ મંદિર (Surat Shiva Temple)જે વિશ્વનું પહેલું મંદિર છે જે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં( Shiva Mandir run by Surat Police)આવે છે. તથા આ મંદિરને સુરતનું તીર્થ પણ માનવામાં આવે છે. આ મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો હોય છે. ભક્તો પોતાના મન શાંત કરવા માટે અહીં આવતા હોય છે. આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર લોકોની ઈચ્છાઓ પૂર્તિ કરે છે. જેથી આ મંદિરનું નામ ઈચ્છાનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃShravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય

બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપો ના નાશ -વધુમાં જણાવ્યું કે, દેવસેની એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પોતાની સત્તા ભગવાન શંકરને આપી દેતા હોય છે. સત્તા હાથમાં આવતા શંકર ભગવાન ખૂબ જ ભોળા હોય છે. અને ઝડપથી પ્રસન્ન પણ થઈ જતા હોય છે.

ભગવાન શંકર પ્રસન્ન થઈને આશીર્વાદ આપે -ભગવાન શિવને એક બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપો ના નાશ થાય છે. કોઈ પણ ભક્ત આવે છે તો તે ભક્ત ભગવાન શંકરને રસ, દહીં, દૂધ આ તમામ પ્રકારના વસ્તુઓ ચઢાવવાથી ભગવાન શંકરનો ગુસ્સો શાંત રહે છે. એટલે ભગવાન શંકર પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. શ્રાવણ માસનો એક એક કલાક પણ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. અહીં એક લોટા પાણી ચઢાવવાથી જ મનોકામના પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃશિવ શંકરના નાદ સાથે શ્રાવણ શરૂ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન

આજ દિન સુધી એક પણ શૃંગાર બીજી વખત રીપીટ થયો નથી -વધુમાં જણાવ્યું કે અહીં શ્રાવણ હોય કે ન હોય સોમવારે રાતના સમય દરમિયાન 9 થી 11 વાગે સુધી ભગવાન શંકરના શિવલિંગનું અભિષેક કરી તેમનું શૃંગાર કરવામાં આવે છે. આ શૃંગારને જોવા માટે લોકોથી આવતા હોય છે. આટલા વર્ષોથી આજ રીતે સોમવારે ભગવાન શંકરના શિવલિંગનું શૃંગાર કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એક પણ શૃંગાર બીજી વખત રીપીટ થયો નથી. અને શૃંગારને ઘણા બધા ફૂલોથી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details