ગુજરાત

gujarat

Suicide case in Surat: સુરતમાં SMC સફાઈ કર્મચારીએ માનસિક તણાવમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો

By

Published : Feb 11, 2022, 3:17 PM IST

Suicide case in Surat: સુરતમાં SMC સફાઈ કર્મચારીએ માનસિક તણાવમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
Suicide case in Surat: સુરતમાં SMC સફાઈ કર્મચારીએ માનસિક તણાવમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો ()

સુરત શહેરના જહાંગીરપુરા(Suicide case in Surat ) વિસ્તારમાં પાલિકાના સફાઈ કામદરે ગળે ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી.

સુરત:શહેરના જહાંગીરપુરા વિસ્તારના વરિયાવ ગામમાં પાલિકાના સફાઈ કર્મચારી ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા ગતરોજ પોતાના ઘરે પરિવાર લગ્નમાં ગયા બાદ દિલીપ ગોહિલે ગળે ફાસો ખાઈ આપઘાત કરી (Sweeper suicide) લેતા ચકચાર મચી ગઈ હતી. જહાંગીરપુરા પોલીસે(Jahangirpura Police Station ) આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાત કરી લેતા ચકચાર

જયેશ ગોહિલ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે સાલું નાનુભાઈ ગોહિલ (ઉ.વ. 46) 15 વર્ષથી પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. ગુરુવારની સાંજે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. પરત ફરતા પત્ની ઉર્મિલાએ ઘરનો દરવાજો ખોલતા દિલીપ લટકતી હાલતમાં (Suicide case in Surat ) જોઈ બુમાબુમ કરી હતી. અમે તાત્કાલિક તેને 108 માં સિવિલ લઈને આવ્યા અહીં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે જહાંગીરપુરા પોલીસને જાણ કરવામાં હતી.

આ પણ વાંચોઃMother kills son in Surat:સુરતમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ માતાનો આપઘાત

પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી

આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ડોડીયાએ જણાવ્યું કે ગઈકાલે રાતે આ ઘટના બની હતી. મૃતક દિલીપ ગોહિલ ઘણા સમયથી કામ ઉપર જતો નઈ હતો અને એના કારણે તેને પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. નોકરી ઉપર કેમ જતો નઈ હતો એ તપાસનો વિષય આવે બીજું પરિવારમાં કોઈ ઝઘડો થયો હોય એવુ કોઈ જાણવા મળ્યું નથી. હાલ તો આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃSuicide Case In Ahemdabad: મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસે કર્યો આપઘાત

ABOUT THE AUTHOR

...view details