- સાબરકાંઠાના હિંમતનગરના સંચેરી ગામનો બનાવ
- વિધવા મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરાતાં પોલીસ ફરિયાદ
- ગામની વિધવા મહિલાને માર મારવા માટે જવાબદાર લોકો સામે ફરિયાદ
સાબરકાંઠા:હિંમતનગરના સંચેરી ગામની વિધવા મહિલા આધારકાર્ડ માટે હિંમતનગર આવ્યા હતા. જોકે પોતાના ગામમાં પરત જવા માટે સચેરી ગામના પરની યુવક તેમજ જમાઈની બાઈક પર પરત ફરતા સ્થાનિક રહીશોએ ઉશ્કેરાયા હતા. તેમજ લાકડીઓ લઇ મહિલાને માર મરાયો હતો સાથોસાથ તેની સાથે અભદ્ર વ્યવહાર કરાયો હતો. જેના પગલે ગાંભોઇ પોલીસ મથકે મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરવાની સાથો સાથ માર મારવામાં જવાબદાર 6 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભરાટ મચી ગયો હતો.
આ પણ વાંચો:વડોદરા સ્વીટી પટેલ કેસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા
સન્ચેરી ગામની વિધવા મહિલાને માર મારવા માટે જવાબદાર લોકો સામે ફરિયાદ