- સાબરકાંઠામાં કેળના પાકને વાવાઝોડાથી નુકસાન
- બાગાયત ખેતીમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો
- હિંમતનગર વિસ્તારમાં વાવાઝોડાથી કેળનો પાક નિષ્ફળ
સાબરકાંઠા : સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના પગલે લાખો રૂપિયાનું નુકસાન સર્જાયું છે. જો કે, સાબરકાંઠામાં હિંમતનગર વિસ્તારમાં કેળના પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે બાગાયતી ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકનું ચલણ વધ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના પગલે કેળના પાકને નુકસાન સર્જાયું છે. કેળના પાકમાં નવા પાંદડા તેમજ ફૂલ ખરી પડતા ખેડૂતોને ભારે ભોગવવાનું આવ્યું છે. સામાન્ય સંજોગોમાં નવા પાંદડા તેમજ ફુલ યોગ્ય માત્રામાં હોય તેમ જ વધુ લંબાઈ ન હોય તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે તૌકતે વાવાઝોડાના પગલે તમામ પાક ધોવાણ ચૂક્યો છે, જેના પગલે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો -500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ખેડૂતોનો અસંતોષનો સૂર