ગુજરાત

gujarat

Rajkot News: રાજકોટથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસમાં ખુલાસા, છેલ્લા એક વર્ષથી હતા અલકાયદાના સંપર્કમાં

By

Published : Aug 10, 2023, 3:33 PM IST

ગુજરાત ATS દ્વારા રાજકોટમાંથી પકડવામાં આવેલ 3 અલકાયદાના શંકાસ્પદ આતંકીઓની તપાસમાં નવો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓ છેલ્લા 1 વર્ષથી અલકાયદાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. આતંકીઓ દ્વારા જે યુવકોને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવી હતી તે યુવકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.

Etv Bharat
Etv Bharat

રાજકોટ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. એટીએસ મુજબ આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા હતા. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.

ટેલીગ્રામ મારફતે જેહાદી પ્રવૃતિઓ: ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બંગાળના અને રાજકોટ સોની બજારમાં કામ કરતા યુવકોને આરોપીઓએ ટાર્ગેટ બનાવ્યા હતા. આતંકીઓ ટેલીગ્રામ મારફતે જેહાદી પ્રવતિઓની સોફ્ટ કોપી મંગાવતા હતા અને બાદમાં ચેટ ડીલીટ કરી નાખતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત ATSએ એફએસએલની મદદ લીધી છે. અત્યાર સુધી તેમને કોઈ ટાર્ગેટ આપવામાં આવેલ નહિ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

મુસ્લિમ કારીગરોને દેશ વિરુદ્ધ ભડકાવાનું કામ:પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં જ રહીને કામ કરતા હતા અને તેઓ અલકાયદાથી પ્રભાવિત થયા હતા અને તેનો ફેલાવો કરતા હતા. તેઓ સોની બજારના બાંગ્લાદેશના મુસ્લિમ કારીગરોને દેશ વિરુદ્ધ ભડકાવાનું કામ કરતા હતા. પશ્ચિમ બંગાળથી તેઓ રાજકોટ સુધી પહોંચ્યા હતા. પકડાયેલા આતંકીઓમાં અમન સીરાજ, તેનો સાળો અબ્દુલ સુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ કટ્ટરપંથી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આતંકીઓને લઈને ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન હથિયાર ઓપરેટ કરવાની તાલીમ:આ મામલે પકડાયેલા આરોપી અમન મલિકની તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા એક વર્ષની ટેલિગ્રામ એપ્લિકેશનની માધ્યમથી વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને પુરુષા નામની ઓળખ બનાવનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. તેઓના પ્રેરિત કરવાથી અલ કાયદા તંજીમમાં જોડાયો હતો. તેઓ ટેલિગ્રામ મારફતે ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતા હતા અને ઓનલાઇન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ પણ મેળવતા હતા.

  1. Gujarat Ats : રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર, વધુ વિગતો સામે આવશે તેવી શક્યતાઓ...
  2. Gujarat ATS: રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો 'જન્માષ્ટમી'નો તહેવાર, ATSની તપાસમાં મોટો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details