ગુજરાત

gujarat

રાજ્યભરમાં AAPના ઉમેદવારોનું મેન્ડેટ રદ કરવા માગ, પોરબંદરના વકીલે ચૂંટણી પંચને કરી રજૂઆત

By

Published : Dec 1, 2022, 7:00 AM IST

પોરબંદરના વકીલે (Porbandar Advocate demand) ચૂંટણી પંચને એક (Election Commission of Gujarat) અરજી કરીને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ વકીલે 182 બેઠક પરના તમામ આપના ઉમેદવારોનું મેન્ડેટ રદ (Aam Aadmi Party Candidates Mandate cancel) કરવાની માગ કરી છે. આ સાથે જ તેમણે અરજીમાં વિવિધ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાજ્યભરમાં AAPના ઉમેદવારોનું મેન્ડેટ રદ કરવા માગ, પોરબંદરના વકીલે ચૂંટણી પંચને કરી રજૂઆત
રાજ્યભરમાં AAPના ઉમેદવારોનું મેન્ડેટ રદ કરવા માગ, પોરબંદરના વકીલે ચૂંટણી પંચને કરી રજૂઆત

પોરબંદર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી ફરી એક વાર વિવાદમાં આવી છે. કારણ કે, પોરબંદરના એક એડવોકેટે ચૂંટણી પંચને એક (Porbandar Advocate demand ) રજૂઆત કરી છે. તેમાં તેમણે રાજ્યના 182 બેઠક પરના (Election Commission of Gujarat)તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું મેન્ડેટ ખોટા હોવાનું જણાવી (Aam Aadmi Party Candidates Mandate cancel) રદ કરવાની માગ કરી છે.

પોરબંદરના ઉમેદવાર સામે વાંધો

તંત્ર તાત્કાલિક પગલા લે તેવી માગ પોરબંદરના એડવોકેટ કેયૂર જોષીએ (Porbandar Advocate demand) ઉમેદવારોનું મેન્ડેટ અયોગ્ય હોવાનો દાવો (Aam Aadmi Party Candidates Mandate cancel) કર્યો છે. સાથે જ તેમણે મેન્ડેટને રદ કરવા માટે PIL દાખલ કરી છે. આ સાથે જ અરજીમાં તેમણે પોરબંદરના AAPના ઉમેદવાર જીવનભાઈ જુગીનું મેન્ડેટ (AAP Jivan Jugi Candidate for Porbandar) પણ ખોટી રીતે અપાયું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં સ્ક્રૂટિનીમાં કોઈ ફરિયાદ ન આવતા તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા તાત્કાલિક પગલા ભરવા માગ ઉઠી છે.

પોરબંદરના ઉમેદવાર સામે વાંધોવિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક (Gujarat Election 2022) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઈ જુગી કૉંગ્રેસ પક્ષના નગરપાલિકાના વર્તમાન કાઉન્સિલર હોવા છતાં તેમણે રાજીનામું નથી આપ્યું. તેમ જ 15 તારીખ સુધીમાં સ્ક્રૂટિની દરમિયાન કૉંગ્રેસ દ્વારા પણ કોઈ વાંધાજનક રજૂઆત ન કરવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

ખોટા મેન્ડેટ રજૂ કરાયા હોવાનો દાવો

ખોટા મેન્ડેટ રજૂ કરાયા હોવાનો દાવો આ અંગે એડવોકેટ કેયૂર જોષીએ (Porbandar Advocate demand) જણાવ્યું હતું કે, આ પાર્ટી (Aam Aadmi Party) રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષ છે કે નહીં તે જવાબદારી ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત સૂચવેલ સિમ્બોલ માન્ય રાજકીય પક્ષનું રાજ્ય ચૂંટણી પંચ (Election Commission of Gujarat) અથવા કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સ્વીકારેલ છે કે નહીં તેમ તમામ વેરીફાઈ કરવાની જવાબદારી ચૂંટણી અધિકારીની હોય છે, પરંતુ ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. તેમ જ કોઈ ફરિયાદો ન મળતા મેન્ડેટ ચલાવી લેવામાં આવતા કેયૂર જોષીએ આ અંગે ખોટા મેન્ડેટ રજૂ કર્યા છે. છતાં તેને સ્વીકારીને અધિકારીઓએ ભૂલ કરેલી છે તેમ જણાવ્યું હતું. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details