ગુજરાત

gujarat

જિલ્લામાં ગણદેવી તાલુકામાં પાણીજન્ય રોગચારા ફેલતા અટકાવવા આરોગ્ય વિભાગ એકશન મોડમાં

By

Published : Jul 24, 2022, 7:34 AM IST

જિલ્લામાં ગણદેવી તાલુકામાં પાણીજન્ય રોગચારા ફેલતા અટકાવવા આરોગ્ય વિભાગ એકશન મોડમાં

નવસારીમાં છેલ્લા વરસાદી માહોલમાં(Rain in Navsari) પાણી ભરાયાની સ્થિતી સર્જાઈ હતી. હવે તે પાણી ધીરે ધીરે ઓસરતાં ગણદેવી તાલુકામાં આરોગ્ય વિભાગે(Health Department in Ganadevi Taluka) રોગચાળાના નિયંત્રણ માટે ખાસ મોનિટરિંગ ઓપેરશન હાથ ધરાયુ છે. દર્દીઓના ડેટા એકત્ર કરી આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે.

નવસારી:જિલ્લામાં પૂરથી પ્રભાવિત ગણદેવી તાલુકામાં આરોગ્ય વિભાગે(Health Department in Ganadevi Taluka) પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાના નિયંત્રણ માટે ખાસ મોનિટરિંગ ઓપેરશન(Monitoring operation for epidemic control) હાથ ધર્યું હતું. ગત દિવસોમાં અવિરત પડેલા વરસાદમાં ગણદેવી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ગણદેવી શહેર વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

રોગચાળાના નિયંત્રણ માટે ખાસ મોનિટરિંગ ઓપેરશન હાથ ધરાયુ

આ પણ વાંચો:Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા રોગચાળો વધ્યો

બંધીયાર વિસ્તાર અને પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કર્યા -હવે પાણી ઓસર્યા બાદ ગણદેવી આરોગ્ય વિભાગે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી અવસરિયા બાદ પાણીજન્ય રોગથી રોગચાળો ન ફેલાય(Prevent of Water Borne Disease) તે માટે કસ્બાવાડી બંધીયાર વિસ્તાર અને પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કર્યા હતા. તેઓના ઘરોના પાણીના સેમ્પલ લેવા સાથે તેમને જરૂરી દવાઓ અને સૂચનો પણ આપ્યા હતા.

ઓઇલ બોલ છોડવામાં આવે છે -આ વિસ્તારના તળાવમાં ક્લોરિનની ટેબલેટ(Chlorine tablets in ponds) અને ગપ્પી ફિશ નાખીને તથા કેટલાક વિસ્તારોમાં ખાબોચિયામાં પાણી ભરાઈ રહેતું હોય છે. તેમાં મચ્છરજન્ય રોગચાળો(Mosquito Borne Disease) ન ફેલાય તે માટે ઓઇલ બોલ છોડવામાં આવે છે. જે રોગચાળો ફેલાવતા રોકે છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને ડામવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ

દર્દીઓનો ડેટા એકત્ર કરી આરોગ્ય વિભાગ સતર્ક - આરોગ્ય વિભાગ એક્શનમાં આવતા જિલ્લામાં અત્યાર સુધી રોગચાળાનો કેસ નોંધાયો નથી. રાઉન્ડ ક્લોક આરોગ્ય વિભાગની ટીમ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યની મોનિટરિંગ કરી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં ફરી સામાન્ય શરદી તાવ ઉધરસ ધરાવતા દર્દીઓનો ડેટા એકત્ર કરીને સામૂહિક રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details