ગુજરાત

gujarat

મહીસાગરમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોનો પાક સૂકાવાના આરે

By

Published : Aug 28, 2021, 1:50 PM IST

fram

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસ્યો નથી. મહિસાગર જિલ્લામાં પણ વરસાદ ખૂબ ઓછો વરસ્યો છે. શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ પાકની વાવણી કરી હતી. પરંતુ હાલમાં વરસાદ ખેંચાતા ખેડુતોએ વાવેલો પાક સુકાઇ રહ્યો છે. જેથી ખેતી નિષ્ફળ જવાની શક્યતાઓ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. જેથી ખેડૂતોએ ખેડ-ખાતર અને મોંઘા ભાવના બિયારણો પાછળ કરેલો ખર્ચ નકામો થયો છે. અને ખેડૂતો વાવેલા પાકને લઈ ચિંતિત બન્યા છે

  • બાજરી, કપાસ અને તલનો પાક સુકાવાના આરે
  • જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ડાંગરની રોપણી
  • નહીવત વરસાદને કારણે જળાશયોમાં પણ સ્તર નીચા

મહીસાગર: સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસ્યો નથી. મહિસાગર જિલ્લામાં પણ વરસાદ ખૂબ ઓછો વરસ્યો છે. શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ પાકની વાવણી કરી હતી. પરંતુ હાલમાં વરસાદ ખેંચાતા ખેડુતોએ વાવેલો પાક સુકાઇ રહ્યો છે. જેથી ખેતી નિષ્ફળ જવાની શક્યતાઓ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ ઓછો પડયો છે. જેથી ખેડૂતોએ ખેડ-ખાતર અને મોંઘા ભાવના બિયારણો પાછળ કરેલો ખર્ચ નકામો થયો છે. અને ખેડૂતો વાવેલા પાકને લઈ ચિંતિત બન્યા છે.

પાક સુકવવાની આરે

મહિસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતના સમયે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખેતી કામે લાગ્યા હતા. ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર બિયારણ અને ડીઝલ લાવી ખેતરમાં પાકની વાવણી કરી હતી. જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ડાંગરની રોપણી થાય છે. જેમાં પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. પરંતુ શરૂઆતમાં સારા વરસાદ બાદ છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ન પડતા ખેડુતોએ વાવેલો ડાંગર, મકાઈ, બાજરી, કપાસ અને તલનો પાક સુકાવાના આરે પહોંચ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં જિલ્લામાં 34 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જિલ્લામાં રહેલા જળાશયોમાં પણ નહીવત વરસાદને કારણે સપાટી નીચી જતાં સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરી દેવાના આરે આવી પહોંચ્યું છે.

મહીસાગરમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોનો પાક સૂકાવાના આરે

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કોવિડ કેસ નોંધાયા, 509ના મોત

વરસાદ ન પડતા ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માગ

હાલ તો ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો એક અઠવાડિયામાં વરસાદ ન આવે તો ઉભો પાક નષ્ટ થવાને આરે આવી પહોંચે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ ન આવે તો ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની વાત કરી રહ્યા છે. જેથી તેઓના પાકને જીવતદાન મળી શકે અને તેઓની ચિંતા થોડી હળવી થાય. જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પણ પાણી હાલમાં ઓછું હોવાના કારણે ડેમ પર પણ નિરાશાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :વર્ષ 2019ની ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત ઇન્ટરેસ્ટ સબસિડી એન્ડ પાવર ટેરીફ સબસિડી મંજુર

ABOUT THE AUTHOR

...view details