ગુજરાત

gujarat

નાનાધંધા-રોજગાર ધરાવતા લોકો માટે આત્મનિર્ભર સહાય યોજના કોરોના કાળમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ

By

Published : Jul 27, 2020, 8:14 PM IST

કોરોનાના કપરાકાળમાં તેમને સહાય પહોંચાડવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી તેમને ફરી બેઠા કરવા માટે કોરોના સંકટકાળમાં પણ રાજ્યની સરકાર તેમની પડખે ઊભી રહી ઉમદા અભિગમ અપનાવ્યો છે.

 નાનાધંધા-રોજગાર ધરાવતા લોકો માટે આત્મનિર્ભર સહાય યોજના કોરોના કાળમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ
નાનાધંધા-રોજગાર ધરાવતા લોકો માટે આત્મનિર્ભર સહાય યોજના કોરોના કાળમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ

મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના હિતમાં નિર્ણય લઈને લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. જેના કારણે નાના વ્યવસાયકારો, મજૂરો અને રોજનું પેટીયું રળીને જીવન નિર્વાહ ચલાવતા પરિવારની પરિસ્થિતી ઘણી જ ગંભીર બની હતી. આવા પરિવારો બીજા પાસે સહાય માગવામાં પણ સંકોચ અનુભવતા હોય છે, ત્યારે કોરોના સંકટને પગલે તેમને ધંધા સાથે ઘર ચલાવવું ખૂબજ મુશ્કેલી ભર્યું બન્યું હતું.

કોરોનાના કપરાકાળમાં તેમને સહાય પહોંચાડવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી તેમને ફરી બેઠા કરવા માટે કોરોના સંકટકાળમાં પણ રાજ્યની સરકાર તેમની પડખે ઊભી રહી ઉમદા અભિગમ અપનાવ્યો છે.

આત્મનિર્ભર સહાય યોજનાનો જેને લાભ મળ્યો છે, તેવા મહિસાગર જિલ્લાના સેણાદરિયા ગોરાડા ગામના જયંતીભાઈ કહે છે કે, હું ગામમાં અમૂલ પાર્લર ચલાવું છું તેમાં અમુલ આઈસ્ક્રિમ, અમુલ શ્રીખંડ,અમુલ ચોકલેટ
અને અમુલ ઘી જેવી અમૂલની વસ્તુઓનો પાર્લર દ્વારા ધંધો કરતો હતો. પણ મહામારીના લોકડાઉનને કારણે મારા અમૂલ પાર્લરના ધંધાને પણ ઘણી માઠી અસર થઈ હતી અને મારો ધંધો લગભગ બંધ જેવો થઈ ગયો હતો.અમે ઘરે બેઠા હતા અને આવકનું સાધન બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

કપરા કાળમાં સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત થતાં ,આત્મનિર્ભર સહાય યોજનાના માધ્યમથી ધંધા-રોજગારને ફરી શરૂ કરવા માટે ખૂબ મોટી મદદ મળી રહી છે. એવી જાહેરાતના પગલે લુણાવાડામાં આવેલ ધી સર્વોદય ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં આત્મનિર્ભર સહાય યોજનાના લાભ માટે આધાર પુરાવા સાથે અરજી કરી ગણતરીના દિવસોમાં મને રૂપિયા એક લાખની લોન મળી છે. ત્યારે કોરોનાકાળની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર બે ટકાના વ્યાજ દરે અને તેમાં પણ પ્રથમ છ માસ સુધી લોનના હપ્તા ભરવામાંથી છુટકારો મળે છે.

તે પછી આપણે મહિને મહિને લોનનો હપ્તો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મને સંકટ સમયમાં સરળ જોગવાઈઓ ધરાવતી લોનની સહાય મળતાં હું ઘણીજ રાહત અનુભવું છું. મે મારો અમુલ પાર્લરનો ધંધો ફરી પૂર્વવત શરૂ કર્યો છે. અને મારી રોજીદી આવક શરૂ થતાં મારો ધંધો ઘણોજ સારો ચાલે છે.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભથી હું અને મારા પરિવારમાં ખુશાલી છવાઇ છે. તેના માટે રાજ્યસરકારનો ખુબ ખુબ આભારી છું. આમ આત્મ નિર્ભર સહાય યોજના નાના ધંધો-રોજગાર ધરાવતાં લોકો માટે આત્મનિર્ભરતરફ લઈ જવાનું સરકારનું સરાહનીય પગલું છે. જેના થકી મજબૂત આત્મવિશ્વાસ સાથે અગાઉ કરતાં પણ વધુ ઝડપે આગળ વધવા માટે આત્મનિર્ભર સહાય યોજના આશીર્વાદ રૂપ પુરવાર થશે.

ABOUT THE AUTHOR

...view details