ગુજરાત

gujarat

ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે દિવસ નિમિતે સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

By

Published : Sep 19, 2021, 4:52 PM IST

Gujarat News

ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ની સોમનાથ સમુદ્ર કિનારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોમનાથના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, પાલીકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ જોડાયા હતા. સફાઈ અભિયાનમાં તંત્રના જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત 250 થી 300 લોકો સહભાગી થયા હતા.

  • સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
  • ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે દિવસ નિમિતે આ અભિયાન હાથ ધરાયુ
  • કોસ્ટગાર્ડ, વહીવટી, પાલીકા, પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા

ગીર સોમનાથ: સોમનાથના સમુદ્ર કિનારે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ને લઈ યોજાયેલા સફાઈ અભિયાન અંગે કોસ્ટગાર્ડના કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, આજે ઉજવણીનો મુખ્ય હેતુ સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો છે. કારણ કે વર્તમાન સમયમાં પ્લાસ્ટીકના વધુ ઉપયોગના લીધે લોકો દરીયાકિનારે પ્લાસ્ટીકનો કચરો ફેંકી દેતા હોય છે. જેના કારણે દરિયામાં અને કિનારા પર મોટાપાયે પ્રદુષણ ફેલાતું હોવાથી દરીયો પ્રદુષિત થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થકી ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે દરિયાકિનારો મળે તે હેતુ છે. જેને સાર્થક કરવા આજે રવિવારે સોમનાથના સમુદ્ર કિનારે હાથ ધરાયેલા 250 થી 300 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે દિવસ નિમિતે સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

300 લોકોએ મોટી માત્રામાં કચરો એકઠો કરી કિનારાને સ્વચ્છ બનાવી દીધો

જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા અને પ્રદુષિત થતું અટકાવવાની જવાબદારી તંત્ર સાથે લોકોની સ્વયંની હોય છે. આજે રવિવારે સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન આવકારદાયક છે. સમુદ્ર કિનારે લોકોએ કચરો નાખવાથી બચવું જોઈએ. કેમ કે કચરો કોક નાખે અને સફાઈ કોક કરે તે વ્યાજબી ન કહેવાય. દરીયાકિનારે કચરો કરવાથી સમુદ્રી જીવોને મોટું નુકસાન પહોચે છે. આજે સફાઈ અભિયાનમાં જોડાયેલા 300 લોકોએ મોટી માત્રામાં કચરો એકઠો કરી કિનારાને સ્વચ્છ બનાવી દીધો હતો.

ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે દિવસ નિમિતે સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ABOUT THE AUTHOR

...view details