ગુજરાત

gujarat

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે શું છે જોગવાઈ ?

By

Published : Feb 26, 2020, 8:53 PM IST

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર રજૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં પ્રવાસન નીતિ અંતર્ગત 383 જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ. 12,000 કરોડનું રોકાણ કરી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ કરશે.

Gujarat Budget 2020-21: Know what is the provision for the development of tourism industry?
જાણો પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે શું છે જોગવાઈ

ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

પ્રવાસન

  • રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે . પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ.૪૮૦ કરોડની જોગવાઇ
  • ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.૫ કરોડની જોગવાઈ
  • પ્રવાસન નીતિ અંતર્ગત ૩૮૩ જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૨,૦૦૦ કરોડનું રોકાણ થનાર છે . જે પૈકી ૧૯૭ પ્રોજેકટ ચાલુ થયેલ છે અને ૧૯૦૦૦ લોકોને રોજગારી મળી છે . જે માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
    જાણો પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે શું છે જોગવાઈ
  • બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ
  • બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
  • શુકલતીર્થ , કબીરવડ , મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.૨૩ કરોડ ફાળવવામાં આવેલ છે . જેમાં રાજ્ય સરકાર દ્વારા ૫ કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
  • સાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.પ કરોડની જોગવાઈ
    ગુજરાત બજેટ 2020-21ઃ જાણો પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે શું છે જોગવાઈ ?
  • વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.૩ કરોડની જોગવાઈ
  • પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ૪૫૦૦ જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ.૨૦ કરોડની જોગવાઇ
  • જૂનાગઢ ઉપરકોટ , ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ ૨૦ કરોડની જોગવાઈ
  • પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે . કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.૧૫૦ કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે
  • ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ - વે ની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ ૧૩૦ કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે

ABOUT THE AUTHOR

...view details