ગુજરાત

gujarat

CM Launch Swagat Programme : રાજ્ય સ્વાગત સુધી પહોંચેલી 105માંથી 7 ફરિયાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 2:59 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય ‘ સ્વાગત ’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશાનિર્દેશો આપ્યા હતાં.

CM Launch Swagat Programme : રાજ્ય સ્વાગત સુધી પહોંચેલી 105માંથી 7 ફરિયાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી
CM Launch Swagat Programme : રાજ્ય સ્વાગત સુધી પહોંચેલી 105માંથી 7 ફરિયાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી

ગાંધીનગર : સામાન્ય માનવીને પોતાની સમસ્યા કે રજૂઆતનું નિવારણ જીલ્લા ‘સ્વાગત’માં આવશે જ એવો વિશ્વાસ ભરોસો અપાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્ય ‘ સ્વાગત’ માંજિલ્લા કલેક્ટર-જિલ્લા વહીવટી તંત્રને સ્પષ્ટ રજૂઆતોના સુખદ નિવારણ માટે દિશાનિર્દેશો આપ્યાં હતાં. આ કાર્યક્રમ લોક સમસ્યાની રજૂઆત અને નિરાકરણનો વિશ્વસનીય મંચ બને છે. ત્યારે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણના દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય ‘સ્વાગત’માં આ ગુરૂવારે, સવારથી જ કુલ 105 જેટલી રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આવી હતી.

સીએમ ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ 7 રજૂઆતો :ગાંધીનગરમાં રાજ્ય ‘સ્વાગત’માં 105 રજૂઆતકર્તાઓની રજૂઆતો અંગે સીએમ કાર્યાલયનાં અધિકારીઓની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને રજૂઆતોનાં નિરાકરણની કાર્યવાહી કરવામાં આવી હતી તેમાંથી સીએમ ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ 7 રજૂઆતો થઈ છે. જ્યારે ડિસેમ્બર 2023 ના રાજ્ય-જિલ્લા-તાલુકા-ગ્રામ ‘ સ્વાગત ’માં સમગ્રતયા 3887 રજૂઆતોમાંથી 75ટકા રજૂઆતોનું સુખદ સમાધાન કરાવાયું છે.

નાનામાં નાનો, સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા ‘સ્વાગત’માં આવે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જિલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઇએ તેવું દાયિત્વ તંત્રવાહકો નિભાવે...ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યમંત્રી )

રજૂઆતકર્તાઓને માર્ગદર્શન આપ્યું :મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારીઓની જુદી-જુદી ટીમોએ આ રજૂઆતો સાંભળીને રજૂઆતકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમની સમસ્યાનાં નિવારણ માટેની કાર્યવાહીની આગળની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્ય ‘સ્વાગત’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે 7 જેટલી રજૂઆતો સાંભળી હતી. તેમની સમક્ષ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના રજૂઆત કર્તાઓ પોતાની સમસ્યાના નિવારણ માટે આવ્યા હતા. તો મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી અને જિલ્લા કલેકટરો વિડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંબંધિત જિલ્લાઓમાંથી આ રાજ્ય સ્વાગતમાં ભાગ લીધો હતો.

ઓનલાઇન જન ફરિયાદ નિવારણ

2919 પ્રશ્નોનું નિવારણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યેક રજૂઆતકર્તાને શાંતિપૂર્વક સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે જે તે જિલ્લાના કલેકટરો-તંત્રવાહકોને ‘સ્વાગત’ની વિડીયો વોલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. તદઅનુસાર, ડિસેમ્બર-2023 મહિનાના ‘સ્વાગત’માં સમગ્રતયા 3887 રજૂઆતો આવી હતી તેમાંથી 75 ટકા એટલે કે 2919 પ્રશ્નોનું સુખદ નિવારણ લાવી દેવામાં આવ્યું છે. સામાન્ય માનવીને પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને ગ્રામ, તાલુકા, જિલ્લા કક્ષાએ જ સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી આખીયે ફુલપ્રુફ વ્યવસ્થા ‘ સ્વાગત ’ના આ બે દાયકામાં વિકસી છે. એ જ શૃંખલામાં આગળ વધતાં ડિસેમ્બર-2023નો રાજ્ય સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

  1. GIFT City's Liquor Permit: છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં હેલ્થ ગ્રાઉન્ડ પર લેવાતી લીકર પરમિટ્સમાં 58 ટકાનો વધારો થયો
  2. SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

ABOUT THE AUTHOR

...view details