સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો, આગેવાનોને CAA નાગરિકતા સંશોધન કાનૂન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ગાંધીજીએ પણ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખ અંગે ભારતમાં સમાન નાગરિક્તા મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જે ઇચ્છા આજે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી પુરી કરી રહ્યા છે. આ પહેલા પણ નાગરિક્તા સંશોધન કાયદા અંગે બી. આર આંબેડકર, જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, તરૂણ ગોગોઇ, પ્રકાશ કરાત સહિતના નેતાઓએ માગ કરી હતી.
આ કાર્યક્રમમાં CAA કાયદા વિશે માર્ગદર્શન ઉપરાંત તેમણે JNUના મુદ્દાને પણ છંછેડ્યો હતો અને કહ્યું હતું કે, વિરોધ કરવો યુવાનોનો હક્ક છે, પરંતુ તોડફોડ કરવી કે અફવા ફેલાવવી તે યોગ્ય નથી. આ ઉપરાંત કાશ્મીર ધારા, ત્રિપલ તલાક સહિતના ઐતિહાસિક નિર્ણયો અંગે પણ નરેન્દ્ર મોદી, અમિત શાહના વખાણ કર્યા હતાં. સંદીપ પાત્રાને સાંભળવવા દમણ-દિવ અને દાદરા નગર હવેલીના પ્રભારી, દમણના સાંસદ, જિલ્લા પ્રમુખો, પાલિકા પ્રમુખો સહિત બુથ અને મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો CAA અંગે લોકોને જાગૃત કરી શકે તે માટે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ શુક્રવારે સેલવાસમાં ભાજપના કાર્યકરોને CAA સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે કોંગ્રેસના નહેરુથી માંડીને મનમોહન સિંહ સહિતના નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતાં. જ્યારે JNU માં યુવાનોના ચાલતા વિરોધ અંગે વિરોધ કરવો એ નાગરિકોનો હક્ક છે. પરંતુ હુલડો કરવા કે હંગામો મચાવવો યોગ્ય ના હોવાનું જણાવ્યું હતું.
Body:સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો, આગેવાનોને CAA નાગરિકતા સંશોધન કાનૂન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. સંદીપ પાત્રાએ જણાવ્યુ હતુ કે ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ગાંધીજીએ પણ પાકિસ્તાનમાં રહેતા હિંદુ-શીખ અંગે ભારતમાં સમાન નાગરિકતા મળે તેવી ઈચ્છા જાહેર કરી હતી. જે ઈચ્છા વર્ષો બાદ ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીએ પુરી કરી છે. તો, આ પહેલા પણ નાગરિકતા સંશોધન કાનૂન અંગે બી. આર. અબેડકર, જવાહરલાલ નહેરુ, રાજીવગાંધી, મનમોહનસિંહ, તરુંણ ગોગોઈ, પ્રકાશ કરાત સહિતના નેતાઓ માંગ કરી ચુક્યા છે.
આ કાયદા અંગે આઝાદી સમયે નહેરુ અને લિયાકત અલી એ પણ કરાર કર્યા હતાં. જે બાદ વર્ષોવર્ષ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યામાં અનેકગણો ઘટાડો થયો છે. જ્યારે ભારતે તે કરારને ન્યાય આપ્યો છે. એટલે આજે ભારતમાં મુસલમાનોની સંખ્યામાં વધારો થયો છે.
વધુમાં પાત્રાએ જણાવ્યું હતું કે CAA લાગુ કર્યા બાદ દેશમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો કાગારોળ મચાવી રહ્યા છે. એટલે ભાજપના દરેક કાર્યકર આ કાનૂન અંગે જનજાગૃતિ ફેલાવી શકે તે માટે તેમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મોદી અને અમિત શાહ પણ દેશમાં જનજાગૃતિ રેલી યોજી રહ્યા છે. CAA અંગે જે કામ કોંગ્રેસ ના કરી શકી તે કામ નરેન્દ્ર મોદીએ કરી બતાવી ગાંધીજી નું સ્વપ્ન સાકાર કર્યું છે.
NRC અને JNU વિરોધ સંદર્ભે સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે વિરોધ કરવો એ યુવાનોનો હક છે. પરંતુ તે માટે તોડફોડ કરવી આગજની ફેલાવવી એ યોગ્ય નથી.
Conclusion:શુક્રવારે CAA સંબંધિત માર્ગદર્શન કાર્યક્રમમાં સંદીપ પાત્રાએ કાશ્મીર ધારા, ટ્રિપલ તલાક સહિતના ઐતિહાસિક નિર્ણયો અંગે પણ નારેન્દ્રમોદી, અમિત શાહના વખાણ કર્યા હતાં. સંદીપ પાત્રા ને સાંભળવા દમણ દિવ દાદરા નગર હવેલીના પ્રભારી, દમણના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખો, પાલિકા પ્રમુખો, બુથ અને મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
bite :; સંદીપ પાત્રા, રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ