ગુજરાત

gujarat

નરશે પટેલના કોંગ્રેસમાં જોડાવવાને લઈને 'હાર્દીક' આશાવાદ, કહ્યું - દિલ્હીના પ્રવાસથી...

By

Published : May 10, 2022, 9:47 PM IST

નરશે પટેલના કોંગ્રેસમાં જોડાવવાને લઈને 'હાર્દીક' આશાવાદ, કહ્યું - દિલ્હીના પ્રવાસથી...

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ દાહોદ જિલ્લાના કોંગ્રેસ તમામ નેતાઓ સાથે ચૂંટણી અનુલક્ષીને (Rahul Gandhi Gujarat Visit)ચર્ચા વિચારણા કરી હતી. સત્યાગ્રહ રેલી સંદર્ભે હાર્દિક પટેલે જણાવ્યું કે આ સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના અધિકાર માટે એક અવાજ બુલંદ કરવાનો પ્રયાસ થયો છે. આ સાથે હાર્દિક પટેલે નરેશ પટેલને લઈને પણ નિવેદન આપ્યું છે.

દાહોદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ દાહોદ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો જિલ્લા (Rahul Gandhi Gujarat Visit)અને રાજ્યના આગેવાનો તેમજ કોંગ્રેસ નેતાઓ સાથે ચૂંટણી અનુલક્ષીને ચર્ચા વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ આગેવાનોને (Satyagraha Rally)ચૂંટણી પ્રતિજ્ઞાપત્ર, કાર્યકર્તા એપ અને સત્યાગ્રહ ડોટ ઇન વેબસાઈટની માહિતી આમ જનતા સુધી પહોંચાડવા વિશે ચર્ચા કરી હતી. ચૂંટણી પ્રતિજ્ઞા પત્ર લઈને જનસમુદાય પહોંચી અને વિજય મેળવીને વિધાનસભાનો( Gujarat Congress)અવાજ બનાવવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે નરેશ પટેલે જલ્દીમાં જલ્દી નિર્ણય કરવો જોઈએ નરેશ પટેલને પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે જેટલો મોડો નિર્ણય કરવામાં આવશે તેટલી ગુજરાતની જનતાને ચિંતા વધશે.

હાર્દિક પટેલ

આ પણ વાંચોઃરાહુલ ગાંધી આદિવાસીઓની રક્ષા માટે દાહોદ આવ્યા: રઘુ શર્મા

કોંગ્રેસ ગુજરાતના સાડા છ કરોડ લોકોનો અવાજ -સત્યાગ્રહ રેલી સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે આ સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના અધિકાર માટે એક અવાજ બુલંદ કરવાનો પ્રયાસ થયો છે. આજે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ લિડર્સ સાથે મળીને સાથે ગુજરાતના સાડા છ કરોડ લોકોનો અવાજ બને તેના માટેના પ્રયાસો છે.

નરેશ પટેલ જેટલો જલ્દી નિર્ણય કરે તો ગુજરાતની જનતા રાજી થશે -નરેશ પટેલે જલ્દીમાં જલ્દી નિર્ણય કરવો જોઈએ નરેશ પટેલને પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે જેટલો મોડો નિર્ણય કરવામાં આવશે તેટલી ગુજરાતની જનતાને ચિંતા વધશે, તમે જલ્દીમાં જલ્દી નિર્ણય કરશો તો ગુજરાતની જનતા રાજી થશે, બે મહિના પહેલા જ્યારે પોલિટિકલ પાર્ટી જોઈન્ટ કરવાની વાતથી લોકોમાં ઉત્સાહ આવ્યો હતો. પછી ગઈકાલે નરેશ પટેલના દિલ્હીના પ્રવાસને વાત ઊભી થઈ છે હું આશા રાખું છું કેન્દ્રના લોકો યોગ્ય ચર્ચા કરી જલદીમાં જલદી યોગ્ય નિર્ણય લાવે અને ગુજરાતની પ્રજાનો અવાજ થાય એવો પ્રયાસ છે.

આ પણ વાંચોઃકૉંગ્રેસની સરકાર આવશે તો અમે તાપી પાર નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ બંધ કરી દઈશુંઃ રાહુલ ગાંધી

દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલી -દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં(Tribal Satyagraha Rally in Dahod) વિશાળ જનમેદનીને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી સાથે દાહોદ જિલ્લાના અને રાજ્યના કોંગ્રેસ આગેવાનો સાથે વાર્તાલાપ યોજાયો હતો. ગુજરાતની આગામી ચૂંટણીમાં આદિવાસી સમુદાયના લોકો તેમજ ગુજરાતની પ્રજાનો અવાજ બનીને વિધાનસભામાં સરકાર બનાવી શકે તે વિષય પર ચર્ચાઓ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details