ગુજરાત

gujarat

Ramhat in school: ભાવનગરની શાળામાં ચાલે છે રામહાટ જેમાં બાળકોને મળે છે વ્યવસાયનું પણ જ્ઞાન

By

Published : Mar 26, 2022, 5:11 PM IST

ભાવનગરના કુંભારવાડામાં (Kumbharwada area Bhavnagar) આવેલી શાળામાં બાળકો ભણતરની સાથે ગણતરનું પણ મેળવી રહ્યાં છે. કુંભારવાડા વિસ્તારમાં બનુબાઈની વાડીમાં (Bhavnagar Banubai Wadi) રામહાટ(Ramhat in school) બાળકો ચલાવી રહ્યાં છે. આ રામહાટ ધોરણ 5ના બાળકો ચલાવે છે. શાળામાં બાળકોને સ્ટેશનરીની જરૂરિયાત પડતી હોય છે. સ્ટેશનરીની બધી વસ્તુ આ રામહાટમાં રાખવામાં આવે છે.

Ramhat in school: ભાવનગરની શાળામાં ચાલે છે રામહાટ જેમાં બાળકોને શિક્ષણની સાથે વ્યવસાયનું જ્ઞાન
Ramhat in school: ભાવનગરની શાળામાં ચાલે છે રામહાટ જેમાં બાળકોને શિક્ષણની સાથે વ્યવસાયનું જ્ઞાન

ભાવનગર:શહેરના પછાત વિસ્તાર એટલે એક કુંભારવાડા (Kumbharwada area Bhavnagar) પણ છે. આ વિસ્તારમાં આવેલી શાળામાં ગરીબ ઘરના બાળકો અભ્યાસ સાથે ગણતરનું પણ જ્ઞાન મેળવી રહ્યા છે. ભણતર સાથે ગણતર શું ? જો આ સવાલ મનમાં હોય તો જરૂર આ સમાચારથી તમે જાણી શકો છે. શાળામાં છેલ્લા સાત વર્ષથી "રામહાટ" ચાલી રહ્યું છે અને ચલાવે છે વિદ્યાર્થીઓ માત્ર.

શિક્ષણની સાથે વ્યવસાયનું જ્ઞાન

વ્યવસાય માટે અનુભવની જરૂર પડે -બાળકો એટલે ઉગતું બીજ જેમાં જેવું શિક્ષણનું (Bhavnagar Banubai Wadi)પાણી આપો તેવું ઉછેરાય છે. આપણે સૌ જાણીએ છીએ કે એક વ્યવસાય કરવો હોય તો તમારે અનુભવની (Ramhat in school)જરૂર પડે છે. આ વ્યવસાય માટેનો પ્રાથમિક અનુભવ જો બાળકોને શિક્ષણ સાથે મળે તો ? હા શાળામાં ચાલે છે રામહાટ. આ રામહાટથી બાળકો વ્યવસાયનો અનુભવધોરણ 5 થી મેળવી રહ્યા છે. ચાલો જાણીએ વિગતથી.

શાળામાં સાત વર્ષથી ચાલતી રામહાટ શું છે જાણો -ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનુબાઈની વાડીમાં(Ramhat in school) આવેલ શાળા નંબર 4માં "રામહાટ" બાળકો ચલાવી રહ્યા છે. આ "રામહાટ" ધોરણ 5ના બાળકો ચલાવે છે. શાળામાં બાળકોને સ્ટેશનરીની જરૂરિયાત પડતી હોય છે. જેમ કે રબબર,પેન્સિલ,બુક,ફૂટપટ્ટી,ચોક અને પેન સહિતની અનેક ચીજો રામહાટમાં રાખવામાં આવે છે. જે બાળકોની જરૂરિયાત છે. શાળાના એક પણ બાળકને બહાર રસ્તા પર આવેલી એક પણ દુકાને જવાની જરૂર પડતી નથી. બાળકો પૈસા લઈને આવે છે અને શાળામાં રીસેસ દરમિયાન આ રામહાટનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં બાળકો ખરીદી કરે છે તેમ શાળાના આચાર્ય જગદીશભાઈ ડાભીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ"ખહુરીયા" શું તમે આવા શ્વાનનો જીવ બચાવશો ? ભાવનગરના ઉદ્યોગકાર એક મિશન પર છે..!

રામહાટનું સંચાલન કેવી રીતે અને બાળકોને શું ફાયદો -કુંભારવાડાના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની આ શાળામાં શાળા નંબર 3 અને શાળા નંબર 4 અલગ અલગ પાળીમાં ચાલે છે. શાળા નંબર 4માં "રામહાટ" છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે. એક વખત ચીજ લઈ આવ્યા બાદ આ ચક્ર ચાલુ રહ્યું છે. શાળાના વિદ્યાર્થી સ્ટેશનરીની ચીજો બહાર લેવા જતો જ નથી. ગરીબ ઘર માંથી આવતા આ બાળકોના માતાપિતા મજૂરીએ જતા હોય છે. બીજું કે આ સ્ટેશનરીની ચીજો આચાર્ય જથ્થાબંધ ભાવે લાવી આપે છે અને એજ જથ્થાબંધ ભાવે બાળકોને વેચવામાં આવતા આર્થિક ફાયદો પણ થઇ રહ્યો છે તેમ શાળાના આચાર્યએ જણાવ્યું હતું.

રામહાટથી બાળકોમાં આર્થિક લેવડદેવડની સમજણ -કુંભારવાડાની ચાણક્ય શાળા નમ્બર 4 ના રામહાટમાં સંચાલન રોજ ફરતું રહે છે. એક દિવસે બે વિદ્યાર્થીઓનો ક્રમ હોઈ તો બીજા દિવસે બીજી બે વિદ્યાર્થીનીઓ હોય છે. ધોરણ 5ની વિદ્યાર્થીનીઓ માત્ર ફર્યા કરે છે અને પૈસાનું સંચાલન કરે છે. દરેક ચીજોના ભાવ દરેક વિદ્યાર્થીનીઓને સાત વર્ષથી કરતી આવી છે. ધોરણ 5 ની વિદ્યાર્થીનીઓ ધોરણ 4 ની વિદ્યાર્થીનીઓને પણ શીખવે છે જેથી તેઓ ધોરણ 5 માં આવે તો સમજ ન પડે તેવું ના બને. પૈસાનો વહીવટ રામહાટ સમય પૂર્ણ થતા શિક્ષકને ગણતરી સાથે આપે છે અને કઈ વસ્તુઓ ખાલી થઈ તે વિદ્યાર્થીનીઓ જણાવે છે. આથી શિક્ષિકા આચાર્યને હિસાબ આપે છે અને આચાર્ય ફરી ખૂટેલી ચીજો લાવી આપે છે. આમ આ ચક્ર "રામહાટ" નું છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃBhagavad Gita Seminar Bhavnagar: ભાગવત શીખવવા પહેલા શિક્ષક બનશે વિદ્યાર્થી, સેમિનારનું આયોજન

ABOUT THE AUTHOR

...view details