ગુજરાત

gujarat

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ઇતિહાસ સર્જાયો, પ્રથમવાર આદિવાસી દીકરીઓ દ્વારા થયો પ્રારંભ

By

Published : Sep 5, 2022, 7:26 PM IST

Updated : Sep 5, 2022, 7:49 PM IST

ઇતિહાસમાં પ્રથમ વખત ( First time in history ) આદિવાસી દીકરીઓના ( Ambaji Bhadravi Fair inaugurated by tribal ) હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં 30 લાખ જેટલાં પદયાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ ઊભી કરાઈ છે.

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ઇતિહાસ સર્જાયો , પ્રથમવાર આદિવાસી દીકરીઓ દ્વારા થયો પ્રારંભ
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ઇતિહાસ સર્જાયો , પ્રથમવાર આદિવાસી દીકરીઓ દ્વારા થયો પ્રારંભ

અંબાજીશક્તિપીઠ અંબાજી મંદિરે ભરાતા સૌથી મોટા લોકમેળા ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર આનંદ પટેલે ( Banaskantha Collector Anand Patel )આ પ્રસંગે જણાવ્યું કે અંબાજી આવતા માઇભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમવાર ( First time in history ) આ મેળાને આદિવાસી દીકરીઓના હસ્તે ( Ambaji Bhadravi Fair inaugurated by tribal ) શરુ કરવામાં આવ્યો હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. દીકરીઓમાં પણ માનું હ્રદય હોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજાઅર્ચના કરતા આદિવાસી દીકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય શુભારંભ થયો છે.

ઇતિહાસમાં પ્રથમ વખતઆદિવાસી દીકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજાઅર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતાં.

પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું મેળાના પ્રારંભ બાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટર આનંદ પટેલે આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું પણ હતું. તેમણે માતાજીની પૂજાઅર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે 30 લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભાદરવી પૂનમના મેળામાં 30 લાખ જેટલાં પદયાત્રિકો માટે સુવિધા

આરોગ્ય સુવિધા કેન્દ્રો અને ભોજન સુવિધા તેમણે કહ્યું કે મેળા દરમિયાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળીબા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ છે.

ચારેતરફ જય અંબેના જયઘોષઅંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાતદિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.

કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે માહિતી મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. 325 સી.સી.ટી.વી. કેમેરા, 10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, 13 વોચ ટાવર અને પદયાત્રિઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તહેનાત કરાઇ છે.

ભાદરવી પૂનમ મેળાના પ્રારંભ પ્રસંગે અગ્રણીઓ ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર,ડોક્ટર હેમરાજ રાણા, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલ, દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિબેન શર્મા સહિત અધિકારીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

Last Updated :Sep 5, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details