આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ વકતૃત્વ સ્પર્ધા બાળકોમાં રહેલી સુશુપ્ત શકિત બહાર લાવવાનું કામ કરે છે અને અન્ય બાળકો માહિતગાર બને છે. હાલની સ્થિતિએ પુરૂષો કરતા મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.
ધનસુરામાં “બેટી બચાવો, બેટી પઢાઓ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
અરવલ્લીઃ સમગ્ર રાજયમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત દ્રારા "બેટી બચાવો, બેટી પઢાઓ" વિષય પર વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનની અધ્યક્ષસ્થાને જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે યોજવામાં આવ્યો હતો.
વધુમાં કલેક્ટરે ભૃણહત્યા અટકાવવા અંગે લીધેલા પગલાની વિસ્તૃત માહિતી આપીને સમાજમાં દીકરીનું મહત્વ સમજાવ્યું હતું. સમાજમાં રહેલા કુરીવાજોને જાકારો આપવા સૌ સમાજે એક થવુ પડશે એવી વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં "બેટી બચાવો-બેટી પઢાઓ" વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં જુદી-જુદી 10થી વધુ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર બાળકોને કલેક્ટર તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ધનસુરા- અરવલ્લી
સમગ્ર રાજયમાં આરંભાયેલા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત દ્રારા " બેટી બચાવો – બેટી પઢાઓ " વિષય પર વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને જવાહર નવોદય વિધાલય ધનસુરા ખાતે યોજવામાં આવ્યો હતો.
Body: આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યુ હતુ કે આવી વકતૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધા કરવાથી બાળકોમાં રહેલી સુશુપ્ત શકિત બહાર લાવવાનુ કામ કરે છે અને અન્ય બાળકો માહિતગાર બને છે હાલની સ્થિતિએ પુરુષો કરતાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.
વધુમાં કલેકટરએ ભ્રૃણહત્યા અટકાવવા અંગેના લીધેલા પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી અને સમાજમાં દિકરીનુ મહત્વ સમજાવ્યુ હતુ. દિકરી બે કુળને તારે છે તેમ પણ તેમને જણાવ્યુ હતુ તથા સમાજમાં રહેલા કુરીવાજોને જાકારો આપવા સૌ સમાજે એક થવુ પડશે એવી વિનંતી કરી હતી.
પ્રાસંગિક ઉદ્દબોદન કરતાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારે મહિલાઓનુ સમાજમાં આગવુ સ્થાન છે તથા જે સમાજમાં નારીનુ માન છે તે સમાજ સર્વત્ર પુજાય છે તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં " બેટી બચાવો – બેટી પઢાઓ " વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં જુદી જુદી ૧૦ ઉપરાંત શાળાના બાળકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં પ્રથમ,બીજા અને ત્રીજા ક્રમે આવનાર બાળકોને કલેકટર તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા જવાહર નવોદય વિધાલય ખાતે અરવલ્લી જિલ્લા કલેકટર તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
Conclusion: