ગુજરાત

gujarat

આણંદમાં એકના 3 ગણા નાણા કરી આપવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી

By

Published : May 6, 2021, 4:22 PM IST

અમદાવાદના મેમનગરના રહેવાસી અંકિતભાઈ પટેલ સાથે આણંદ ના શખ્સે રૂ. 20 લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એકના 3 ગણા નાણા કરી આપવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી
એકના 3 ગણા નાણા કરી આપવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી

  • એકના ત્રણ ગણા કરવામાં રૂ. 20 લાખની થઈ છેતરપીંડી
  • આણંદના ભેજાબાજ દ્વારા અમદાવાદના વ્યક્તિ સાથે આચરવામાં આવ્યો વિશ્વાસઘાત.
  • આણંદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

આણંદ: પૈસાની લાલચમાં ઘણીવાર લોકો વિશ્વાસઘાતનો ભોગ બની જતા હોય છે. આવો જ એક કિસ્સો આણંદમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં અમદાવાદના મેમનગર ખાતે રહેતા અને મુળ વીસનગરના રહીશ અંકિતભાઈ પટેલને આણંદના દીપકભાઈ પીરાભાઈ જોષી (મારવાડી)ને રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખલાક આદમભાઈ શીરુનો સંપર્ક થયો હતો. ત્યારે આ બંને જણાએ અંકિતભાઈને એકના ત્રણ ગણા નાણાં કરી આપવાની લાલચ આપી અંકિતભાઈનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

અબ્દુલ સાથે મળીને 20 લાખ રુપિયાની બેગ લઈ દસ મીનીટમાં ત્રણ ગણા રુપિયા લઈ પરત આવું છું

વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજો દ્વારા ગત તા. 27 એપ્રિલના રોજ અંકિતને ફોન કરીને રુ. 20 લાખ રુપિયા લઈ આણંદની સામરખા ચોકડી પાસે આવવા જણાવતા અંકિત 20 લાખ રુપિયા રોકડા લઈ આણંદની સામરખા ચોકડી પાસે એકતા હોટલ નજીક આવ્યા હતા. જ્યાં દીપક જોષી તેમને સુરત લઈ ગયો હતો. જ્યાં રાજુ ઉર્ફે અબ્દુલ સાથે મળીને 20 લાખ રુપિયાની બેગ લઈ દસ મીનીટમાં ત્રણ ગણા રુપિયા લઈ પરત આવું છું, તેમ કહી વાયદો કરી રુપિયા લઈ જઈ પરત આવ્યો ન હતો.

એકના 3 ગણા નાણા કરી આપવાના બહાને રૂ. 20 લાખની છેતરપિંડી

નાણાં પરત આપવાના ખોટા વાયદાઓ કરી છેતરપિંડી આચરી

બાદમાં અંકિતભાઈએ મોબાઈલ ફોન પર દીપકભાઈ જોષીનો સંપર્ક સાધતા તેઓએ નાણાં પરત આપવાના ખોટા વાયદાઓ કરી નાણાં પરત આપ્યા ન હતા. અને નાણાં પરત આપવા માટે સમાધાન કરી ચેક આપ્યો હતો. અને ત્યારબાદ આ ચેક બેંકમાં ન ભરવા માટે અંકિતભાઈને ધાકધમકીઓ આપી હતી. જેથી અંકિતભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જણાવતા તેઓએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આણંદ પોલીસને ઘટના અંગે ફરિયાદ મળતા પોલીસે અંકિતભાઈ બાબુભાઈ પટેલની ફરિયાદના આધારે દીપકભાઈ પીરાભાઈ જોષી મારવાડી વિરુદ્ધ ઈપીકો કલમ 406, 506, 120બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ પી એ.જાદવ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details