ગુજરાત

gujarat

નિત્યનંદિતા અને લોપામુદ્રાની તેમના વકીલોના વકીલાતનામાં સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય - હાઈકોર્ટ

By

Published : Feb 28, 2020, 5:54 PM IST

ahemdabad
નિત્યનંદિતા - લોપામુદ્રાની તેમના વકીલોના વકીલાતનામાં સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય - હાઈકોર્ટ

નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ રિટ મુદ્દે શુક્રવારે હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીએ નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલને તેમના વકીલાતના મામાલે બંને યુવતીઓની સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય, એ મુદ્દે સપષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદઃ હાઈકોર્ટે લોપામુદ્રા અને નિત્યનંદિતાના વકીલના વકીલાતમાં બંને યુવતીઓની સહીં ન હોવાથી હાઈકોર્ટે બંને વકીલોને સપષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના ક્યાં આદેશ અથવા કાયદાકીય રીતે અસીલની વકીલાતનામાં સહીં વગર વકીલ સુનાવણી કરી શકે તેની સપષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ આ હેબિયસ કોર્પસ રિટ જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટની જગ્યાએ હવે આ કેસની સુનાવણી જસ્ટિસ બેલા ત્રિવેદીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ થતાં કેસને ફરીવાર સાંભળવામાં આવશે.

નિત્યનંદિતા - લોપામુદ્રાની તેમના વકીલોના વકીલાતનામાં સહીં ન હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય - હાઈકોર્ટ
અગાઉ જસ્ટીસ બ્રહ્મભટ્ટની કોર્ટમાં પિતા જનાર્દન શર્મા તરફે રજૂ કરેલા સોગંદનામામાં દલીલ કરવામાં આવી હતી કે, બંને દીકરીઓએ સ્વેચ્છાએ સોગંદનામું રજૂ કર્યું છે કે કેમ આ અંગેની ચકાસણી માટે વિદેશ મંત્રાલય જમાઈકામાં આવેલા ભારતીય હાઈ કમિશ્નર પાસેથી આ CCTV ફૂટેજ રજૂ કરવામાં આવ્યાં હતા. બંને દિકરીઓ દ્વારા ભારતીય એમબ્સી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાધન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદ્દે કોર્ટને જણાવે તેવો અવલોક કર્યો હતો.

અરજદાર - પિતા જર્નાધન શર્મા તરફે વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ દ્વારા જે સોંગદનામાં રજુ કરવામાં આવ્યા છે તે બળ-જબરીપૂર્વક કરાવવામાં આવ્યા નથી તે સાબિત થતું નથી.

દિકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દિકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, જો આશ્રમના લોકો તરફે બન્ને દિકરીઓને મદદ કરવામાં આવી રહી છે. તો શું આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકાય. આ મુદ્દે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે, આજના યુગમાં 15 વર્ષના બાળકો બધા નિર્ણય લેતા હોય છે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે, કોર્પસને હેરાન કરવામાં આવ્યા છે. તેવા અનેક વીડિયો છે અને મટિરિયલ પિતા જર્નાધન શર્મા પાસે હોવાની દલીલ કરી હતી. નિત્યાનંદિતાને નેપાળ મુકવા ગયેલા વ્યકિતની રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. આ મુદ્દે પિતા જર્નાધન શર્માએ કોર્ટને રજુઆત કરી હતી કે, હું આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યો છું એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બંને દિકરીઓ અને તેમની હત્યા થઈ જશે તેવી શંકા વ્યકત કરી હતી. બંને દિકરીઓને ભારતમાં મળવા માગું છું તેવું જર્નાધન શર્માએ કોર્ટને જણાવ્યું હતું. અરજદારના વકીલે પિતા જર્નાધન શર્મા પાસે બંને દિકરીઓને શારારિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

અગાઉ બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, બંનેને પિતાથી જીવનો જોખમ છે, તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિં પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છીએ, ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે.

હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે, બંને દિકરીઓને અહીં લાવવા મુદ્દે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details