અમદાવાદ-ગુજરાતમાં કોરાનાથી સાજા થવાનો દર 99.13 ટકા છે. ગુજરાતમાં દરરોજ બેથી ચાર કેસ પોઝિટિવ આવે છે. અને હાલ 20 કેસ એક્ટિવ છે, પણ તે તમામ સ્ટેબલ છે અને કોઈના મૃત્યુના સમાચાર નથી. ગુજરાતમાં કોરોના કાબુમાં છે. પણ ચીનના સમાચાર આવતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. corona vaccination in Gujarat
ગુજરાત વેક્સિનથી સુરક્ષિતગુજરાત સરકારે આગોતરી તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. આજે આરોગ્ય વિભાગની ટીમ સાથે રીવ્યૂ બેઠક કરી હતી. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે અને હાલ પણ ગુજરાતમાં કોરોના રસીકરણની પ્રક્રિયા ચાલુ રહી છે. છેલ્લા આંકડા પ્રમાણે ગઈકાલે 20 ડિસેમ્બર, 2022ના રોજ 3030 લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી. status of corona vaccination
ગુજરાતમાં વેક્સિનેશનની સ્થિતિગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12 કરોડ 77 લાખ 27 હજાર 843 લોકોએ વેક્સિન લીધી છે. ગઈકાલ 20 ડિસેમ્બર, 2022ના રોજ 3030 લોકોએ વેક્સિન લીધી હતી. સરકારી દવાખાના અને કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે.