ગુજરાત

gujarat

Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનો પારો વધતા જ મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધ્યું

By

Published : Mar 30, 2022, 1:31 PM IST

રાજ્યમાં લોકો કાળજાળ ગરમી સહન કરી રહ્યા છે. આ સાથે જ, આમદાવાદ શહેરમાં (Increase disease in Ahmedabad)રોગના પ્રમાણમાં વધારો થયો છે. ગત વર્ષ કરતા ચાલું વર્ષે રોગના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમી વધતા સાથે મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધ્યું
Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમી વધતા સાથે મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ રાજ્યમાં ગરમીની સિઝનની શરૂઆત થઇ છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય(Increase disease in Ahmedabad) રોગના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

મચ્છરજન્ય રોગની પ્રમાણ વધ્યું -અમદાવાદ શહેરમાં મચ્છર જન્ય રોગનું(Mosquito borne disease)પ્રમાણ ગત વર્ષ કરતા વધારે જોવા મળી રહ્યો છે. જેમ સાદા મેલેરિયાના કેસોમાં 15 કેસ, ઝેરી મેલેરિયા કેસમાં, 3 ડેન્ગ્યુના કેસ 29 અને ચિકનગુનિયા કેસ 95 જેટલા કેસ નોંધાયા છે. માર્ચ મહિના સુધીમાં 36,706 જેટલા લોહીના નમુનાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુના 800 સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃProtests in Surat : સુરતમાં લોકોએ મચ્છર દાની ઓઢીને કર્યો અનોખો વિરોધ

પાણીજન્ય કેસમાં પણ વધારો -અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસની સાથે સાથે પાણીજન્ય કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટી ના 654 કેસ, કમળાના 360 કેસ, ટાઇફોઇડ કેસ 287 ,કોલેરાના પણ કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃરાજ્યમાં પાણીજન્ય રોગો: 80 લાખથી વધુ લોકોના લોહીના પરિક્ષણ કરાયા : મનોજ અગ્રવાલ આરોગ્ય અગ્ર સચિવ

ABOUT THE AUTHOR

...view details