ગુજરાત

gujarat

Bullet Train Ahmedabad Sabarmati: અમદાવાદ-સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ

By

Published : Jan 24, 2023, 9:01 AM IST

ahmedabad-mumbai-bullet-train-ahmedabad-sabarmati-station-work-progress-in-january-2023

કેન્દ્ર સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું મિશન નક્કી કર્યું છે. તેના માટે વાસ્તવમાં જમીન પર કામ શરૂ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા 'ETV ભારત' દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ અને સાબરમતી સ્ટેશનની બોડી કામ હાલ યુધ્ધ સ્તરે ચાલી રહી છે. અહીં થાંભલા ઊભા કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ (ગુજરાત): ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડશે. ત્યાર બાદ બુલેટ ટ્રેનને દેશના અન્ય શહેરોમાં વિસ્તારવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં સાબરમતી ખાતે એક સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સ્ટેશન નવ માળનું હશે અને તે 1.36 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે. હાલ આ સ્ટેશનની બોડી બનાવવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. તેમજ અહીં ટ્રકોને સમતલ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. દાંડી યાત્રાની થીમ પર સાબરમતી સ્ટેશન બનાવવામાં આવશે.

કેવું છે સાબરમતી સ્ટેશન?

સાબરમતી નદીના પુલની કામગીરી:508 કિમીના રૂટ પર કુલ 21 કિમીની ટનલનો ઉપયોગ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન માટે કરવામાં આવશે અને અનેક નદીઓ પર પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે બિક્સી સ્ટેશન અને શીલફાટા સ્ટેશન વચ્ચે લગભગ 21 કિલોમીટર લંબાઈની ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. સાબરમતી નદી પર થાંભલો નાખી તેના પર બોડી નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

અમદાવાદ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ:હાઇ સ્પીડ બુલેટ ટ્રેન માટે અમદાવાદ જિલ્લામાં કુલ 2,70,000 ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, સાબરમતી, વટવા અને અસારવા તાલુકામાંથી જમીન સંપાદન કરવામાં આવી છે. રેલ્વે વિભાગે આ જમીન ધારકોને કુલ 1108.45 કરોડનું વળતર આપ્યું છે. જેમાં પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કુલ 954.28 હેક્ટર અને મહારાષ્ટ્રમાં 942.71 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.

મહત્વના મુદ્દાઓ

કેવું છે સાબરમતી સ્ટેશન?: 1.36 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું આ સ્ટેશનના દરેક ફ્લોર પર તમને હાઇ-ફાઇ રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ મળશે. આ સ્ટેશનની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ ઇમારત ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇનના ઉત્તરીય ટર્મિનસ તરીકે કામ કરશે. લક્ઝુરિયસ હોટલોમાં જમવાથી લઈને રહેવા સુધીની તમામ સુવિધાઓ આ સ્ટેશન પર ઉપલબ્ધ હશે. નવ માળની આ ઈમારત બે બ્લોકમાં પથરાયેલી છે. તે આગામી અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના રેલ્વે સ્ટેશન, BRT બસ સ્ટેશન અને AEC મેટ્રો સ્ટેશન સાથે મલ્ટિમોડલ કનેક્ટિવિટી ધરાવશે.

દાંડી યાત્રાની થીમ પર સાબરમતી સ્ટેશન: નવ માળના સ્ટેશનમાં પહેલા ત્રણ માળે પાર્કિંગ હશે. એક સાથે 1200 વાહનો પાર્ક કરી શકાય તેટલી જગ્યા હશે. આ ઉપરાંત ફૂડ કોર્ટ, દુકાનો વગેરે માટે 31,500 ચોરસ મીટર વિસ્તાર રાખવામાં આવ્યો છે. સ્ટેશન બિલ્ડિંગમાં અલગ-અલગ માળ પર કુલ 60 રૂમ હશે. બાળકો માટે પ્લે એરિયા અને રેસ્ટોરન્ટ પણ હશે. સાબરમતી સ્ટેશનના સાતમા અને ચોથા માળે ટેરેસ ગાર્ડન પણ બનાવવામાં આવશે. દાંડી યાત્રાની થીમ પર સાબરમતી સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશનની પ્રતિકૃતિ સ્પિનિંગ વ્હીલ જેવી છે.

આ પણ વાંચોBullet Train Profile: કેવી હશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સફર, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ

સ્ટેશન બિલ્ડિંગને ભૂકંપની પણ અસર નહીં થાય:બુલેટ ટ્રેન સ્ટેશન બિલ્ડિંગને વધુ મજબૂત બનાવવામાં આવશે. બિલ્ડિંગ એવી હશે કે તેને ભૂકંપની અસર નહીં થાય. આ બિલ્ડીંગમાં પાણીનો બગાડ ન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. અહીં વીજળી માટે સોલાર સેલનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેથી પાવર આઉટ થશે નહીં. આ ઈમારતને કારણે સૌર ઉર્જા વધશે. બિલ્ડિંગની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. તેથી આ બુલેટ ટ્રેન સ્ટેશન અનેક સુવિધાઓથી સજ્જ થવા જઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details