ગુજરાત

gujarat

Indian Cricket Team: ભારતીય ટીમની કમાન સંભાળતા રોહિતે કોહલીની જોરદાર પ્રશંસા કરી

By

Published : Dec 13, 2021, 2:15 PM IST

વિરાટ કોહલીના હાથમાંથી ભારતીય વનડે ટીમની કમાન છીનવી લેતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રોહિત શર્માને સુકાનીપદ (Captain Rohit Sharma )સોંપી દીધું છે. તેને ટી20 ટીમની (T20 team)કમાન પહેલેથી જ મળી ગઈ હતી. ભારતની T20 અને ODI ટીમના (Indian cricket team )કેપ્ટન બન્યા બાદ રોહિતે પહેલીવાર વિરાટ કોહલીની કેપ્ટન્સી(Virat Kohli's captaincy) પર નિવેદન આપ્યું છે.

Indian Cricket Team: ભારતીય ટીમની  કમાન સંભાળતા રોહિતે કોહલીની જોરદાર પ્રશંસા કરી
Indian Cricket Team: ભારતીય ટીમની કમાન સંભાળતા રોહિતે કોહલીની જોરદાર પ્રશંસા કરી

  • વિરાટે ભારતીય ટીમનું નેતૃત્વ ખૂબ જ શાનદાર રીતે કર્યું
  • રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી જ કમાન સંભાળી
  • રોહિતે કહ્યું હતું કે, વિરાટ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક

નવી દિલ્હીઃODI અને T20 ફોર્મેટનો નવો કેપ્ટન (new captain of DI and T20 format) બનાવાયા બાદ પ્રથમ વખત રોહિત શર્માએ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રોહિતે વર્લ્ડ કપ, રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Former captain Virat Kohli)વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

ટીમ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછું વળીને જોવાનું નથી

રોહિતે કોહલીની જોરદાર પ્રશંસા કરી (Rohit praised Kohli)અને બેટ્સમેન તરીકે ટીમમાં તેની ભૂમિકા વિશે જણાવ્યું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથેની વાતચીત દરમિયાન રોહિતે કોહલી વિશે કહ્યું કે, વિરાટે ભારતીય ટીમનું (Indian cricket team )નેતૃત્વ ખૂબ જ શાનદાર રીતે કર્યું છે. ટીમ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછું વળીને જોવાનું નથી. રોહિતે કહ્યું, કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને એક (Indian cricket team )જ સંદેશ હતો કે આપણે માત્ર અને માત્ર જીતવા માટે જ રમવાનું છે.

રોહિત શર્માએ કહ્યું, મેં વિરાટ સાથે ઘણું ક્રિકેટ રમ્યું

રોહિત શર્માએ કહ્યું, મેં વિરાટ સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. ત્યારથી મને ખૂબ મજા આવી છે. અમે એક ટીમ તરીકે આગળ વધીશું અને વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું. નોંધનીય છે કે જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની(Test team for the tour of South Africa ) જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વનડેના કેપ્ટન બદલવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ બાદ કોહલીએ T20 ફોર્મેટમાં કેપ્ટન્સી છોડી દીધી હતી. રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી જ કમાન સંભાળી હતી.

વિરાટ કોહલી વિશે મોટી વાત કહી

રોહિત શર્માએ ટી-20ની કેપ્ટનશિપ સંભાળ્યા બાદ પણ વિરાટ કોહલી વિશે મોટી વાત કહી હતી. રોહિતે કહ્યું હતું કે, વિરાટ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે. તે ટીમમાં લીડર છે. આવી સ્થિતિમાં ટીમમાં બેટ્સમેન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઈન્ડિયાની નજર ચોક્કસપણે તમામ વર્લ્ડ કપ પર

આ ઈન્ટરવ્યુમાં રોહિતે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ વિશે પણ વાત કરી છે. આ સાથે તેણે આવનારા વર્લ્ડ કપને લઈને પોતાની યોજના પણ જણાવી છે. રોહિતે કહ્યું, ટીમ ઈન્ડિયાની નજર ચોક્કસપણે તમામ વર્લ્ડ કપ પર છે. પરંતુ અમારું ધ્યાન અમારી પ્રક્રિયા પર છે.

આ પણ વાંચોઃAsian Rowing Championship 2021: ભારતે થાઈલેન્ડમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

આ પણ વાંચોઃBeijin 2022 Winter Olympics:રશિયા પણ વિન્ટર ઓલિમ્પિકમાં ROC તરીકે ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details