ગુજરાત

gujarat

ત્રીજી T20 પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટા ફેરફાર, વર્લ્ડ કપમાં રમી ચૂકેલા ખેલાડીઓ પોતાના દેશ પરત ફરશે

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 4:05 PM IST

india vs australia: ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. હવે વર્લ્ડ કપમાં રમી રહેલા છ ખેલાડીઓને બાકીની મેચો માટે ઓસ્ટ્રેલિયા બોલાવવામાં આવ્યા છે. કેટલાક ખેલાડીઓ ત્રીજી ટી20 મેચ રમીને પરત ફરશે.

Etv Bharatindia vs australia
Etv Bharatindia vs australia

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની ત્રણ મેચો માટે પોતાની T20 ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમના છ ખેલાડીઓ હવે તેમના દેશ પરત જવાના છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની T-20 શ્રેણીમાંથી વિશ્વ કપની ટીમમાં સામેલ પોતાના ખેલાડીઓને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના X એકાઉન્ટ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા ત્રીજી ટી20 મેચ પહેલા જ ઘરે પરત ફર્યા છે. જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિસ અને સીન એબોટ મંગળવારે ગુવાહાટીમાં ત્રીજી T20 મેચ બાદ બુધવારે સ્વદેશ પરત ફરશે.

ઓસ્ટ્રેલિયા મેનેજમેન્ટ દ્વારા નિર્ણય: બે મહિનાથી વધુ સમયથી ભારતમાં રોકાયેલા ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયાના મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંના મોટાભાગના ખેલાડીઓ વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત વનડે શ્રેણીનો પણ ભાગ હતા. વર્લ્ડ કપ રમી રહેલા ટ્રેવિસ હેડ એકમાત્ર સભ્ય છે જે આ ટી20 સિરીઝની બાકીની મેચો માટે ભારતમાં રહેશે. વર્લ્ડ કપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા હેડને હજુ સુધી એક પણ T-20 મેચમાં રમવાની તક મળી નથી.

કયા ખેલાડીઓ ટીમ સાથે જોડાયા:આશા છે કે ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ ત્રીજી T20 મેચમાં ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયામાં વિકેટકીપર-બેટ્સમેન જોશ ફિલિપ અને બિગ-હિટર બેન મેકડર્મોટ ગુવાહાટીમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. બેન દ્વારશુઈસ અને ઓફ સ્પિનર ​​ક્રિસ ગ્રીન બુધવારે રાયપુરમાં ચોથી T20 મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 0-2થી પાછળ:ભારતીય ટીમ સામે પ્રથમ બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 0-2થી પાછળ છે. સ્ટોઈનિસ, એબોટ મેક્સવેલ અને ઝમ્પા એવા ખેલાડીઓ છે જેઓ વર્લ્ડ કપમાં રમ્યા હતા પરંતુ તેઓ ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં કંઈ ખાસ કરી શક્યા ન હતા.

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહિ:આ દરમિયાન ભારતે ત્રીજી મેચ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, શ્રેયસ અય્યર આગામી મેચથી ઉપલબ્ધ રહેશે. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડ પાસેથી ટીમના વાઇસ કેપ્ટનનું પદ પણ સંભાળશે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ટીમનું સુકાન સંભાળશે.

આ પણ વાંચો:

  1. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T 20 મેચ, ભારત પાસે સિરીઝ કબ્જે કરવાની તક
  2. હાર્દિકનું ગુજરાતને ગુડ બાય, મુંબઈમાં 'હાર્દિક' સ્વાગત

ABOUT THE AUTHOR

...view details