ગુજરાત

gujarat

નવાઝુદ્દીન અને ઈલા અરૂણના 'ઘૂમકેતુ'ના શ્રેષ્ઠ દ્રશ્યોની યાદગાર ક્ષણ

By

Published : May 31, 2020, 7:41 PM IST

નવાઝુદ્દીન સિદ્દીકીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ "ઘૂમકેતુ"માં તેમણે ત્રીજી વખત અભિનેત્રી ઇલા અરૂણ સાથે કામ કર્યું છે. તે બંનેએ કહ્યું કે, આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેઓને ખૂબ જ આનંદ કર્યો હતો. તેમણે તેમાં એક દ્રશ્ય કર્યું છે, જે ફિલ્મના શૂટિંગ દરમિયાનની સૌથી યાદગાર ક્ષણ છે.

nawazuddin
નવાઝુદ્દીન અને ઇલા અરૂણ

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ "ઘૂમકેતુ"માં તેમણે ત્રીજી વખત અભિનેત્રી ઇલા અરૂણ સાથે કામ કર્યું છે. તે બંનેએ કહ્યું કે, આ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેઓને ખૂબ જ આનંદ કર્યો હતો. તેમણે તેમાં એક દ્રશ્ય કર્યું છે, જે ફિલ્મના શૂટિંગ દરમિયાનની સૌથી યાદગાર ક્ષણ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને ઇલા અરૂણે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ઘૂમકેતુની શૂટિંગને લઇને વાત કરી હતી. તેમણે તે દ્રશ્યો વિશે કહ્યું કે, જે શૂટિંગ કરતી વખતે તેમને ખૂબ જ આનંદ મળ્યો હતો.

નવાઝુદ્દીને જણાવ્યું કે, "ઇલા જી એક પ્રતિભાશાળી અભિનેત્રી છે. મેં તેની સાથે 'ઘૂમકેતુ' સહિત ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. મને લાગે છે કે, ભગવાને તેને બધું આપ્યું છે. તે બહુ સારા ગાયક છે. તેનો અવાજ ખૂબ જ અલગ છે. આ ઉપરાંત તે એક સારા સહ-કલાકાર છે. ફિલ્મમાં ઇલાજી સાથે કેટલાક મુશ્કેલ પણ મહત્વના દ્રશ્યો હતા. આમાં એક દ્રશ્ય મચ્છરદાનીની અંદરનું છે. જે મારા માટે એક કલાકારના રૂપમાં કઠિન કામ હતું, પરંતુ ઇલાજીના સહયોગથી તે થઇ ગયું.

આ દ્રશ્ય વિશે માહિતી આપતાં ઇલાએ કહ્યું કે, આ દ્રશ્યમાં ઘૂમકેતુ અડઘી રાત્રે સેન્ટો બુઆને એક ડરામણી વાર્તા કહે છે. એક મચ્છરદાનીની અંદરના તે દ્રશ્યો મુજબ બોડી લેંગ્વેજની સાથે નાનકડી જગ્યામાં અને કેમેરાની સામે કરવા મુશ્કેલ હતા. તે એક એવું પ્રદર્શન હતું જેને હું ક્યારેય ભૂલી નહીં શકું. હું માનું છું કે, તે અમારી ફિલ્મના સૌથી સારા દ્રશ્યો હતા."

પુષ્પેન્દ્ર નાથ મિશ્રા દ્વારા દિગ્દર્શિત 'ઘૂમકેતુ' માં અનુરાગ કશ્યપ, રઘુવીર યાદવ, રાગિની ખન્ના અને સ્વાનંદ કિરકિરે પણ છે. ફિલ્મ ઝી-5 પર આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details