ગુજરાત

gujarat

આલિયા ભટ્ટ રણવીરના લગ્ન પહેલા સાસુ નીતુ કપૂર થયા પરેશાન, જાણો કારણ

By

Published : Apr 11, 2022, 5:06 PM IST

આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર શા કારણે પરેશાન, જાણો કારણ
આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર શા કારણે પરેશાન, જાણો કારણ

પૈપરાઝીઓ આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરને દિવસ-રાત ફોલો કરી રહ્યાં છે અને માત્ર એક જ સવાલ પૂછે છે કે આલિયા-રણબીરના લગ્ન (Ranbir-Alia wedding) ક્યારે છે.

હૈદરાબાદઃઆલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બોલિવૂડમાં આ વર્ષના સૌથી મોટા લગ્ન (Ranbir-Alia wedding) બનવા જઈ રહ્યા છે. કપલના લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે. અહીં, પૈપરાઝી દિવસ-રાત આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરને ફોલો કરી રહ્યાં છે અને એક જ સવાલ પૂછે છે કે આલિયા-રણબીરના લગ્ન ક્યારે (alia bhatt ranbir kapoor wedding date) છે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીરની માતા નીતુ કપૂર પૈપરાઝીથી પરેશાન થઈ ગઈ છે.

આ પણ વાંચો:Ranbir And Alia marriage Date: આલિયા-રણબીરના લગ્નની તારીખ કન્ફર્મ, આ દિવસે કપલ લેશે સાત ફેરા

વીડિયોમાં નીતુ કપૂર નારાજ: ખરેખર, જે વીડિયો સામે આવ્યો છે તેમાં નીતુ કપૂર વાઈન કલરની સાડીમાં વોક કરી રહી છે. નીતુ કપૂરને જોઈને પૈપરાઝીઓએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધો અને ફોટા ક્લિક કર્યા હતા.વીડિયોમાં નીતુ કપૂર નારાજ થઈને કહેતી જોવા મળે છે કે તેણે વાળ પણ બનાવ્યા નથી અને ચપ્પલ પણ નથી પહેર્યા અને તમે આવા ફોટા ક્લિક કરો છો.

ડાન્સ દીવાને જુનિયરની જજ : ત્યારે એક પૈપરાઝીએ પૂછ્યું કે મેમ રણબીર-આલિયાના લગ્ન ક્યારે છે, જેના જવાબમાં પીઢ અભિનેત્રીએ કહ્યું, 'હું શા માટે કહું, તે ક્યારે કરશે'. નીતુ કપૂર આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયરની જજ છે. આવી સ્થિતિમાં તે પૈપરાઝીની નજરમાં આવી રહી છે અને તે તેમને એક જ સવાલ પૂછી રહી છે કે આલિયા-રણબીરના લગ્ન ક્યારે છે?

આ પણ વાંચો:Ranbir-Alia's Punjabi Wedding : 13મીથી મહેંદી સેરેમની થશે શરૂ, સ્વિટ્ઝરલેન્ડમાં મનાવશે હનીમૂન

આલિયા અને રણબીરના ઘરે લગ્નની તૈયારીઓ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા 15 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે કહ્યું હતું કે આ કપલ 15 એપ્રિલે લગ્ન કરશે. અહીં આલિયા અને રણબીરના ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details