ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવવા આવશે, ટ્રસ્ટી મંડળ આમંત્રણ આપવા દિલ્હી જશે

By

Published : Oct 13, 2022, 6:01 PM IST

રાજકોટના કાગવડનું ખોડલધામ (Khodaldham Kagvad ) અનેક રાજનીતિક ચહેલપહેલનું પ્રતીક બની રહ્યું છે. જેમાં હવે પીએમ નરેન્દ્ર મોદીનું ( PM Modi ) નામ પણ સામે આવી રહ્યું છે. મળતા અહેવાલો પ્રમાણે ખોડલધામનું ટ્રસ્ટી મંડળ દિલ્હી જઇને ( Khodaldham Trustees will go to Delhi ) પીએમ મોદીને કાગવડ આવવા માટે આમંત્રણ ( Invite PM Modi to Khodaldham ) આપશે.

વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવવા આવશે, ટ્રસ્ટી મંડળ આમંત્રણ આપવા દિલ્હી જશે
વડાપ્રધાન મોદી ખોડલધામમાં માથું ટેકવવા આવશે, ટ્રસ્ટી મંડળ આમંત્રણ આપવા દિલ્હી જશે

રાજકોટગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ રાજકીય પક્ષના ટોચના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) પણ સૌરાષ્ટ્રમાં પણ સતત આવી રહ્યાં છે. ત્યારે પાટીદારોના આસ્થાના સ્થાન કાગવડ ખોડલધામ (Khodaldham Kagvad ) મંદિરે વડાપ્રધાનને લઇ આવવા માટેના અને તેમના હસ્તે ધ્વજા ચડાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

પીએમ મોદી મંજૂરી આપશે તો ખોડલધામ પર ધ્વજા પણ તેમના હસ્તે ચડાવાશે

ખોડલધામનું ટ્રસ્ટી મંડળ દિલ્હી જશે આ અંગે ખોડલધામ ટ્ર્સ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે 'કાગવડ ખોડલધામ (Khodaldham Kagvad ) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ને આવવા માટેનું આમંત્રણ આપવા માટે આગામી સપ્તાહે ખોડલધામનું ટ્રસ્ટી મંડળ દિલ્હી જશે ( Khodaldham Trustees will go to Delhi ) અને રૂબરૂ જઇ વડાપ્રધાનને કાગવડ આવવા માટેનું આમંત્રણ ( Invite PM Modi to Khodaldham ) અપાશે. એટલું જ નહીં તેઓ મંજૂરી આપશે તો તેમના હસ્તે ખોડલધામ મંદિરે ધ્વજા પણ ચડાવવામાં આવશે.'

ગત ચૂંટણીમાં પડ્યો હતો મારગત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની ભાજપને અવળી અસર થઇ હતી અને સૌરાષ્ટ્રમાં તેને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આગામી ચૂંટણીમાં જંગી બહુમતી માટે ભાજપ કમર કસી રહી છે. આ વખતે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તેને પડકાર ફેંકી રહી છે.

સૌરાષ્ટ્રમાં કોળી અને પાટીદારોનું પ્રભુત્વ મતદાર તરીકે આ બંને સમાજને પોતાના તરફ વાળવા માટે તમામ રાજકીય પક્ષો તમામ પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં ખોડલધામ ખાતે અગાઉ તમામ પક્ષના ટોચના નેતાઓ પહોંચ્યા હતાં અને મંદિરમાં માથું ટેકવી પાટીદારોને રિઝવવાના પ્રયાસો થયાં હતાં. ખોડલધામ આયોજિત દાંડિયારાસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને હાજરી આપી હતી.

પાટીદાર સમાજની ભાજપ પાસે 50 જેટલી ટિકિટની માગખોડલધામના ચેરમેન નરેશ પટેલે સક્રિય રાજકારણથી છેડો ફાડી નાખ્યો છે, પરંતુ પડદા પાછળની તેમની ભૂમિકા તમામ રાજકીય પક્ષો માટે મહત્ત્વની છે, જેમાં નરેશ પટેલનો સાથ મેળવવા માટે ખોડલધામને તમામ પક્ષો માધ્યમ બનાવી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( PM Modi ) આમંત્રણ ( Invite PM Modi to Khodaldham ) આપી પાટીદારોનું મહત્ત્વ આગામી ચૂંટણીમાં બતાવવાના પણ પ્રયાસ થશે, તો વડાપ્રધાન પણ સૌરાષ્ટ્રના સતત પ્રવાસ કરી રહ્યાં છે ત્યારે ખોડલધામે જઇને તેઓ પાટીદારો સાથે સીધો સંવાદ કરવાનો મોકો ચૂકશે નહીં તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

પાટીદારોની એકતાનું પ્રતીક ખોડલધામ આસ્થાનું સ્થાનક તો છે જ પરંતુ પાટીદારોની એકતાનું પ્રતીક પણ છે અને આ વાતથી તમામ રાજકીય પક્ષો વાકેફ છે. જેમાં નગરપાલિકાથી લઇ સંસદ સુધીની ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ ખોડલધામના શરણે પહોંચીને પાટીદારોને પોતાના તરફ વાળવાના પ્રયાસ કરે છે. હાલ વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન ( PM Modi ) જો આવશે તો તેમાં પણ અનેક ગણિત પાર પડશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details