ગુજરાત

gujarat

16 ઓક્ટોબર સુધી Girnar Nature Safari પ્રવાસીઓ માટે બંધ રહેશે

By

Published : Jun 15, 2021, 4:24 PM IST

આગામી 16મી ઓક્ટોબર સુધી સાસણ, આંબરડી અને ગિરનાર નેચર સફારી (Girnar Nature Safari) તમામ પ્રવાસીઓ માટે બંધ જોવા મળશે. પાછલા કેટલાય વર્ષોથી ચોમાસાની ઋતુ અને આ દરમિયાન સિંહોના સંવનન કાળને ધ્યાને રાખીને દર વર્ષે 15મી જૂનથી 16મી ઓક્ટોબર સુધી સાસણ સહીત આંબરડી અને નવા શરૂ થયેલા ગિરનાર નેચર સફારી (Girnar Nature Safari)ના રૂટ બંધ રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે પાછલા એપ્રિલ મહિનાથી તમામ રાષ્ટ્રીય ઉદ્યાન (National Park) અને સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

Gujarat News
Gujarat News

  • આજે 15 જૂનથી 16મી ઓક્ટોબર સુધી સાસણ, આંબરડી અને Girnar Nature Safari પ્રવાસીઓ માટે કરાયા બંધ
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આગામી 16મી ઓક્ટોબરે પાર્ક શરૂ થશે તેની વનવિભાગને આશા
  • એપ્રિલ માસથી કોરોના સંક્રમણને કારણે તમામ National Park અને સફારી પાર્ક રાખવામાં આવ્યા છે બંધ

જૂનાગઢ : આજે 15 જૂનથી ગીરમાં આવેલા સાસણ, આંબરડી અને ગિરનાર નેચર સફારી પાર્ક (Girnar Nature Safari) તમામ પ્રવાસીઓ માટે આગામી 16મી ઓક્ટોબર સુધી બંધ જોવા મળશે. વર્ષોની પરંપરા મુજબ 15મી જૂનથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું હોય છે. આવા સમયે જંગલ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પુષ્કળ હોવાને કારણે તેમજ આ સમય દરમિયાન સિંહોની સંવવન ઋતુ હોવાને કારણે પણ આંબરડી સાસણ અને નવા શરૂ થયેલા ગિરનાર નેચર સફારી (Girnar Nature Safari) પાર્ક આગામી 16મી ઓક્ટોબર સુધી વર્ષોથી બંધ રાખવામાં આવે છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે.

16 ઓક્ટોબર સુધી Girnar Nature Safari પ્રવાસીઓ માટે બંધ રહેશે

આગામી 16મી ઓક્ટોબરના દિવસે સફારી પાર્ક ખોલવા અંગે કોઇ અંતિમ નિર્ણય કરાશે

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આગામી 16મી ઓક્ટોબરના દિવસે સફારી પાર્ક અને રાષ્ટ્રીય ઉદ્યાન (National Park)ને ખોલવા અંગે કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવશે, તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.

જૂનાગઢ

આ પણ વાંચો : વેકરિયા ડેમ પાસેથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા

સરકાર અનુમતિ આપશે તો ખોલવામાં આવશે

જૂનાગઢમાં આવેલું એશિયાનુ સૌથી જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સાસણ નજીક આવેલું દેવળિયા સફારી પાર્ક સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લુ રાખવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે Etv Bharatએ કરેલી વાતચીતમાં મુખ્ય વન્ય સંરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જો સક્કરબાગ અને દેવળિયા સફારી પાર્ક ખોલવાની મંજૂરી આપશે તો 16 ઓક્ટોબર પહેલા તમામ દિશા નિર્દેશો અને સાવચેતીઓ સાથે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને દેવળિયા સફારી પાર્ક ખોલવા અંગે વનવિભાગ ગંભીરતાપૂર્વક વિચારણા કરશે.

Girnar Nature Safari

આ પણ વાંચો : જૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા

કેટલાય વર્ષોથી ચાર મહિના સુધી સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવતો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ અને સિંહોના સંવવનને કારણે પાછલા કેટલાય વર્ષોથી ચાર મહિના સુધી સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવતો હતો, પરંતુ કોરોના સંક્રમણને કારણે પાછલા એપ્રિલ મહિનાથી તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો (National Park) કે જે ગીરમાં આવેલા છે તે તમામ બંધ જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ

ABOUT THE AUTHOR

...view details