ગુજરાત

gujarat

સલમાન રશ્દી છે જીવતો, પરંતુ એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી: રિપોર્ટ

By

Published : Oct 24, 2022, 9:49 AM IST

ન્યૂયોર્ક સ્ટેટમાં પ્રવચન આપવાની તૈયારી કરતી વખતે બે મહિના પહેલા થયેલા હુમલામાં સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી હતી (Salman Rushdie )અને એક હાથ પર અસર કરી હતી. 75 વર્ષીય લેખક, જેમને તેમની નવલકથા ધ સેટેનિક વર્સીસ પ્રકાશિત થયા પછી 1980 ના દાયકામાં ઈરાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જ્યારે તેઓ ચૌટૌકા સંસ્થામાં કલાત્મક સ્વતંત્રતા પર ભાષણ આપવા માટે સ્ટેજ પર દેખાયા ત્યારે તેમને ગરદન અને ધડ પર છરા મારવામાં આવ્યા હતા. 12 ઓગસ્ટના રોજ ગોળી વાગી હતી.

સલમાન રશ્દી છે જીવતો, પરંતુ એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી: રિપોર્ટ
સલમાન રશ્દી છે જીવતો, પરંતુ એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી: રિપોર્ટ

ન્યૂયોર્ક(અમેરીકા): સલમાન રશ્દીના સાહિત્યિક એજન્ટે જણાવ્યું હતું કે, "ઓગસ્ટમાં પશ્ચિમ ન્યૂયોર્કમાં એક (Salman Rushdie )સાહિત્યિક કાર્યક્રમમાં સ્ટેજ પર રહેલા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાહુમલામાંથી સ્વસ્થ થયા બાદ લેખકે એક આંખ ગુમાવી દીધી હતી. તે હવે પોતાના એક હાથથી કોઈ કામ કરવા સક્ષમ નથી." સાહિત્યિક એજન્ટ એન્ડ્રુ વિલીએ શનિવારે પ્રકાશિત થયેલા એક લેખમાં સ્પેનિશ ભાષાના અખબાર અલ પેસને જણાવ્યું હતું કે, "હુમલામાં રશ્દીને ગરદનના ત્રણ ગંભીર ઘા અને છાતી અને ધડમાં 15 ઘા થયા હતા. તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી અને એક હાથ અક્ષમ થઈ ગયો."

સ્વતંત્ર રીતે પ્રવાસ:1989માં, મુંબઈમાં જન્મેલા રશ્દીની નવલકથા ધ સેટેનિક વર્સીસના પ્રકાશન પછી ઈરાનના આયાતુલ્લા ખમેનીએ 75 વર્ષીય રશ્દી વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. આ કારણે રશ્દીએ ઘણા વર્ષો છુપી રીતે વિતાવ્યા હતા. જોકે છેલ્લા બે દાયકામાં તેમણે સ્વતંત્ર રીતે પ્રવાસ કર્યો હતો. ન્યુ જર્સીના ફેયરવ્યુમાં હુમલાનો આરોપી હાદી મેટર જેલમાં બંધ છે. હુમલા પછી, રશ્દીની પેન્સિલવેનિયાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી જ્યાં તેમને થોડા સમય માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

હુમલાની નિંદા:વિલીએ કહ્યું હતુ કે, "આ 'બર્બર હુમલા'માં રશ્દીના હાથની નસ કપાઈ ગઈ હતી." ભારતે વિખ્યાત લેખક રશ્દી પરના "ભયાનક હુમલા"ની નિંદા કરી હતી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઓગસ્ટમાં તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "ભારત હંમેશા હિંસા અને ઉગ્રવાદ સામે ઊભું રહ્યું છે. અમે સલમાન રશ્દી પરના ભયાનક હુમલાની નિંદા કરીએ છીએ. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ."

જોડાણનો ઇનકાર:રશ્દી પરના હુમલાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. હુમલા પછી, ઈરાને હુમલાખોર સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. રશ્દીનો જન્મ 1947માં મુંબઈમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડમાં બોર્ડિંગ સ્કૂલ પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને 2007માં 'નાઈટ'ની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details