ગુજરાત

gujarat

ગુજરાત માટે "કાળનો દિવસ", અલગ-અલગ જગ્યાએ માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત, 17થી વધુ ઇજાગ્રસ્ત

By

Published : Nov 18, 2020, 9:52 AM IST

Updated : Nov 18, 2020, 11:03 AM IST

seven killed in road accident onVadodara highway
seven killed in road accident onVadodara highway ()

રાજ્યમાં થયેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત વડોદરા હાઇવે પર થયો, જેમાં 11 લોકોના મોત થયા અને 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્થ થયા હતા. બીજો અકસ્માત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં થયો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. ત્રીજો અકસ્માત સુરત હાઇવે પર બસ વચ્ચે સર્જાયો, જેમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

  • ગુજરાતમાં 'કાળનો દિવસ'
  • રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ત્રણ ગમખ્વાર અકસ્માત
  • વડોદરા અકસ્માતમાં 12 લોકોના મોત
  • સુરેન્દ્રનગર અકસ્માતમાં 4 લોકોના મોત
  • સુરત અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં વડોદરા, સુરેન્દ્રગનર સહિત સુરત નજીક ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 13 લોકોના મોત થયા છે.

રાજ્યમાં ત્રણ જૂદી-જૂદી જગ્યાએ અકસ્માત

પહેલો અકસ્માત વડોદરા હાઇવે પર થયો હતો. જ્યાં મીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક બાળક સહિત બે મહિલાઓનો સમાવેશ છે.

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તાત્કાલિક SSG હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ટેમ્પામાં સવાર લોકો પાવાગઢ જઇ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો.

શાલિની અગ્રવાલની પ્રતિક્રિયા

આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ અકસ્માત બાદ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. CM વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

આ અકસ્માત બાદ વડા પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ લખ્યું કે, મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે અને આ અકસ્માત બાદ તાત્કાલિક જ વહીવટી તંત્ર દ્વારા શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર અકસ્માતમાં 4 લોકોના મોત

રાજ્યમાં બીજો અકસ્માત સુરેન્દ્રનગરમાં લખતર રોડ પર કોઠારીયા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરત અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત

રાજ્યમાં ત્રીજો અકસ્માત સુરતમાં બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બારડોલી-કડોદરા હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય 10 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

Last Updated :Nov 18, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details