- કંગના રનૌતે મહાત્માં ગાંધી પર નિશાન સાધ્યું
- 1947માં ભારતને આઝાદી નહીં, પરંતુ ભીખ માંગવામાં આવી હતીઃ કંગના
- કંગનાએ કહ્યું કે, બીજો ગાલ ફેરવવાથી ભીખ મળે છે સ્વતંત્રતા નહીં
- ગાંધીજી ભગત સિંહને ફાંસી આપવા માગંતા હતાઃ કંગના
મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌતે(Actress Kangana Ranaut) એક બાદ એક નિવેદનને લઈ સતત ચર્ચા રહે છે. ત્યારે હવે કંગનાએ મહાત્મા ગાંધી પર પણ નિશાનશ્(Kangana target on Mahatma Gandhi) સાધ્યું છે. કંગના કહ્યું કે બીજો ગાલ આગળ કરીને 'ભીખ માગવા' સિવાય કોઈ સ્વતંત્રતા(Freedom) નથી. કંગનાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 1947માં ભારતને આઝાદી મળી ન હતી પરંતુ ભીખ માંગવામાં આવી હતી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી(Narendra Modi)ની સરકાર સત્તામાં આવી ત્યારે વાસ્તવિક આઝાદી મળી.
કંગનાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને ગાંઘીજી પર નિશાન સાધ્યું
રનૌતે ઈન્સ્ટાગ્રામ(Kangana Ranaute Instagram) પર એક પછી એક પોસ્ટ કરીને મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તમારા હીરોને સમજદારીથી પસંદ કરો. અભિનેત્રીએ એક અખબારની જૂની ક્લિપિંગ શેર કરી છે જેમાં હેડલાઈન છે કે ગાંધી અન્ય નેતાજીને સોંપવા માટે સંમત થયા હતા. આ ઉપરાંત સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધી, જવાહરલાલ નેહરુ તેમજ મોહમ્મદ અલી ઝીણાએ બ્રિટિશ ન્યાયાધીશ સાથે સંમત થયા હતા કે જો બોસ દેશમાં પ્રવેશ કરશે તો તેઓ તેને સોંપી દેશે. રનૌતે અખબારની ક્લિપિંગ સાથે લખ્યું છે કે, કાં તો તમે ગાંધીના પ્રશંસક છો અથવા નેતાજીના સમર્થક છો. તમે બંને સાથે નથી રાખી શકતા. તેમ પસંદ કરો અને નક્કી કરો
અન્ય એક પોસ્ટમાં, રાનૌતે દાવો કર્યો છે કે જેઓ આઝાદી માટે લડ્યા હતા તેઓને એવા લોકો દ્વારા તેમના માલિકોને સોંપવામાં આવ્યા હતા. જેમની પાસે તેમના જુલમીઓ સામે લડવાની હિંમત ન હતી અથવા જેમનું લોહી ઉકળતું ન હતું, પરંતુ તેઓ ચાલાક અને સત્તાના ખાઉધરા હતા.
ગાંધીજી ભગત સિંહને ફાંસી આપવા માગંતા હતા કંગનાએ કહ્યું