ગુજરાત

gujarat

ગુજરાતના રાજ્યપાલે હિંદુઓને કહ્યા સૌથી મોટા બિગોટ્સ

By

Published : Sep 8, 2022, 1:29 PM IST

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ એક નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ તેમણે હિંદુઓને દંભી કહ્યા બાદ વિવાદ સર્જાયો છે. Gujarat Governor Acharya Devvrat's statement, organic farming,Gujarat Governor calles Hindus biggest bigots

ગુજરાતના રાજ્યપાલે હિંદુઓને કહ્યા સૌથી મોટા બિગોટ્સ
ગુજરાતના રાજ્યપાલે હિંદુઓને કહ્યા સૌથી મોટા બિગોટ્સ

નર્મદા:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નિવેદનમાં, તેમણે હિન્દુઓને દંભી કહ્યા હોવાથી વિવાદ સર્જાયો છે. આચાર્ય દેવવ્રત બુધવારે નર્મદા જિલ્લાના પોઇચા ગામમાં 'કુદરતની ગોદમાં સજીવ ખેતી' વિષય પર યોજાયેલા સેમિનારને સંબોધતા આ નિવેદન (Gujarat Governor Acharya Devvrat's statement) આપ્યું હતું.

લોકો સ્વાર્થથી 'જય ગૌ માતા' બોલે છે: લોકો 'જય ગૌ માતા'નો જયઘોષ કરે છે, પરંતુ તેઓ ગાય દૂધ ન આપે ત્યાં સુધી તેને તેમના તબેલામાં રાખે છે. એકવાર તે દૂધ આપવાનું બંધ કરી દે, પછી તેઓ તેને રસ્તા પર છોડી દે છે. તેથી જ હું હિન્દુઓને ધર્માંધ નંબર 1 કહું છું. હિન્દુ ધર્મ અને ગાય એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ અહીં લોકો સ્વાર્થથી 'જય ગૌ માતા' બોલે છે.

ઓર્ગેનિક ખેતી તરફ પાછા આવો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'લોકો ભગવાનને પ્રાર્થના કરવા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારાની મુલાકાત લે છે, જેથી ભગવાન તેમને આશીર્વાદ આપે. હું જાહેરાત કરું છું કે, જો તમે ઓર્ગેનિક ખેતી તરફ પાછા આવશો, તો ભગવાન આપમેળે તમારાથી ખુશ થશે. હું વૈજ્ઞાનિક પુરાવા સાથે કહું છું કે, રાસાયણિક ખાતરના (chemical fertilizer) ઉપયોગથી તમે પશુઓને મારી રહ્યા છો. જો તમે ઓર્ગેનિક ખેતી (organic farming) કરવા જશો, તો તમે પશુઓને જીવન આપશે."

ABOUT THE AUTHOR

...view details