ગુજરાત

gujarat

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ

By

Published : Dec 21, 2022, 10:54 AM IST

Updated : Dec 21, 2022, 11:35 AM IST

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya wrote to Rahul Gandhi) મંગળવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન (Covid guidelines should be strictly followed) કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

ભારત જોડો યાત્રા: માંડવિયાનો રાહુલ ગાંધીને પત્ર, યાત્રામાં કોવિડ દિશાનિર્દેશોનું પાલન થાય તેની ખાતરી કરો
ભારત જોડો યાત્રા: માંડવિયાનો રાહુલ ગાંધીને પત્ર, યાત્રામાં કોવિડ દિશાનિર્દેશોનું પાલન થાય તેની ખાતરી કરો

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya wrote to Rahul Gandhi) મંગળવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું (Covid guidelines should be strictly followed) જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

કોવિડ માર્ગદર્શિકા:પત્રમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન (COVID GUIDELINES FOLLOWED DURING BHARAT JODO YATRA ) કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.

આ પણ વાંચો: કોરોના એલર્ટ: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ કોવિડની સમીક્ષા માટે બેઠક બોલાવી

દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવી જોઈએ :કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું છે કે, ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) કોરોનાના પ્રોટોકોલનો ભંગ (Covid guidelines should be strictly followed) કરી રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ રસી લીધી છે તેઓએ જ યાત્રામાં ભાગ લેવો જોઈએ અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. યાત્રામાં જોડાતા પહેલા અને પછી યાત્રને અલગ રાખવા જોઈએ. જો આ શક્ય ન હોય તો દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવી (Postpone Bharat Jodo Yatra) જોઈએ.

ભારત જોડો યાત્રા રાજસ્થાનથી હરિયાણા પહોંચી : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાનથી હરિયાણા પહોંચી છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા, વરિષ્ઠ નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજ્ય પક્ષના વડા ઉદય ભાન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં યાત્રાનું સ્વાગત કર્યું. આ યાત્રા 23 ડિસેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે.

સભાને સંબોધતા રાહુલ ગાંધીએ શું કહ્યું :હરિયાણાના નૂહ જિલ્લામાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ નવી વાત નથી, હજારો વર્ષોથી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે, જેમાંથી અમુકને ફાયદો થાય છે, જ્યારે "બીજો અન્ય, ખેડૂતો અને મજૂરોનો અવાજ ઉઠાવે છે અને આ કોંગ્રેસ પાર્ટી છે. લડાઈમાં ભૂમિકા ભજવવાની છે."

યાત્રા ફેબ્રુઆરીની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે :જ્યારે ભાજપના નેતાઓએ તેમની પદયાત્રા પર સવાલ ઉઠાવ્યા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પૂછે છે કે કન્યાકુમારીથી યાત્રા શરૂ કરવાની શું જરૂર હતી. રાહુલે કહ્યું, "હું 'ભારત જોડો' યાત્રા દ્વારા નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું... જ્યારે આ લોકો દેશમાં નફરત ફેલાવે છે, ત્યારે અમારી વિચારધારાના લોકો બહાર જાય છે અને પ્રેમ અને લાગણી વહેંચે છે..." ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તે હવે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને હરિયાણા પહોંચી ગઈ છે. આ યાત્રા ફેબ્રુઆરીની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. યાત્રા અંતર્ગત 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય છે.

Last Updated :Dec 21, 2022, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details