શિવભક્તિનો રંગઃ ગંગોત્રીથી રામેશ્વર ધામ સુધી ત્રણ સાધુઓએ શરૂ કરી કનક દંડવત યાત્રા, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશ: શ્રવાણમાં શિવ ભક્તોના અનેક રંગો જોવા મળે છે, કંઈક આવું જ ઉત્તરકાશીમાં પણ જોવા મળ્યું હતું. માનવ કલ્યાણ માટે ગૌ લોકધામ ગંગાપુર મોરેના મધ્યપ્રદેશના દામોદર દાસ, કૌશલ દાસ અને મોની બાબાએ ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાંથી પાણી ભરીને કનક દંડવત યાત્રા (Kanak Dandavat Yatra) શરૂ કરી છે. ત્રણેય સાધુઓ ગંગા જળ લઈને સેતુબંધ રામેશ્વરમ ધામ જવા રવાના થયા છે. ત્રણેય સાધુઓની યાત્રા ગંગોત્રી હાઈવે પર વરસાદ વચ્ચે પણ ચાલુ છે. 29 જુલાઈના રોજ ત્રણેય સાધુઓએ ગંગાનું પાણી ભરીને તેમની યાત્રા શરૂ કરી હતી. યાત્રા પૂર્ણ થયા બાદ તમિલનાડુના સેતુબંધ રામેશ્વરમ ધામમાં જલાભિષેક કરવામાં આવશે.