યાત્રાધામ દ્વારકામાં જોવા મળ્યો દેશ ભક્તિ અને ધાર્મિકતાનો અદભૂત સમન્વય
દ્વારકાધીશ જગત મંદિર પર તિરંગાના રંગમાં રંગાયેલ 52 ગજની ધજા ચડાવાય જે અત્યાર સુધીનો સૌથી સારો નજારો માનવામાં આવે છે. પૂજારી પરિવાર દ્વારા અલગ અલગ વાર તેહવાર પ્રમાણે, અલગ અલગ ઋતુ પ્રમાણે ભગવાન દ્વારકાધીશના વસ્ત્રો એ પ્રમાણે બનાવમાં આવે છે, જ્યારે આજ રોજ ભગવાન દ્રારકાધિશના વસ્ત્રોને પણ તિરંગા રંગમાં પેહરવવામાં આવ્યા હતા. સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે જગત મંદિરમા પણ દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ સમગ્ર દ્વારકા નગરીમા દેશ ભક્તિ અને ધાર્મિકતા સમનવ્યનો અદભુત નજારો જોવા મળ્યો હતા. independence day celebration in devbhoomi dwarka
TAGGED: