દ્વારિકા નગરી બની કૃષ્ણમય દ્વારકાધીશ મંદિરને રોશનીથી શણગારાયું
દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરને જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર દ્વારકા નગરીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી આખું મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. Janmashtami 2022 Janmashtami celebrations in Dwarka Lighting decoration in Dwarkadhish Temple