Youth commits suicide in Khambhaliya of Dwarka: દ્વારકાના ખંભાળિયામાં અસામાજિક વ્યક્તિઓના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

By

Published : Dec 1, 2021, 2:00 PM IST

thumbnail

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 40 વર્ષીય યુવકએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવકએ અસામાજિક તત્વોની (Antisocial elements) ધમકીથી પરેશાન થઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. તેમજ અગાઉની ફરિયાદમાં સમાધાન માટે અસામાજિક તત્વો (Antisocial elements) દબાણ કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં યુવકએ આત્મહત્યા કર્યા પહેલા મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો તે પણ સામે આવ્યો હતો.અને વીડિયો તેમજ સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે મજબુર કરનાર સંજય, નથુ અને કિશન નામના યુવકને આત્મહત્યા માટે જવાબદાર ઠેરાવ્યા હતા. ગુજરનારના ભાયએ પણ સંજય, નથુ, કિશન સહિત અન્ય 4 થી 5 લોકો પર આરોપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.