દીવમાં યોજાયો તુલસી વિવાહનો પ્રસંગ

By

Published : Nov 9, 2019, 2:22 AM IST

thumbnail

દીવઃ સમગ્ર દેશમાં તુલસી વિવાહના ધાર્મિક પ્રસંગને ધાર્મિક ભાવનાઓ સાથે મનાવવામાં આવે છે. દીવમાં આવેલા જલંધર વિસ્તારમાં જલંધર મંદિર આવેલું છે, જ્યા આજે પણ દેવ ઉઠી અગિયારસના દિવસે વિશેષ પૂજન થાય છે. અગિયારસના દિવસે હિન્દૂ ધર્મમાં તુલસી વિવાહનું ખાસ મહત્વ જોવા મળે છે. સર્વે હિન્દૂ ઘરોમાં આજે તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવતો હોય છે. તુલસી વિવાહને સંઘ પ્રદેશ દીવ સાથે પણ ધાર્મિક સંબધો જોવા મળે છે. દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરીને આ ધાર્મિક તહેવારની તુલસી વિવાહ તરીકે ઉજવણી કરે છે. તુલસી વિવાહ જલંધરના ઈતિહાસ સાથે સંકળાયેલી પૌરાણિક કથા છે. દીવમા જલંધર બીચ આ કથા નો એક ભાગ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.