ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી ફી મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા વાલી મંડળે કરી ઉગ્ર રજૂઆત

By

Published : Jun 4, 2021, 7:01 PM IST

thumbnail

સુરેન્દ્રનગર : કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં વર્ષ 2020-21 અને આગામી નવા શૈક્ષણિક વર્ષ 2021-21ની ફી વસુલવા મામલે સુરેન્દ્રનગર જિલ્લા વાલી મંડળ દ્વારા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી ફી મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. ખાનગી શાળા સંચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને વાલીઓ પાસેથી ફીની વસુલાત કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. આ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, તો વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.