Lata Mangeshkar Passed Away: લતાજી પાસે બેસીને ગીત ગાયું હતું, જેથી હું મારી જાત પર ગર્વ અનુભવું છું : હેમંત ચૌહાણ
ભારત રત્ન અને સંગીત ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસિલ કરનાર લતા મંગેશકરનું આજે દુઃખદ અવસાન (Lata Mangeshkar Passed Away ) થયું છે, ત્યારે રાજકોટ ખાતે રહેતા અને ભજનના સમ્રાટ એવા હેમંત ચૌહાણે (Hemant Chauhan) પણ તેમને શ્રધાંજલિ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે, જ્યારે લતાદીદીને પ્રથમ વાર મળવા ગયા હતા ત્યારે તેમના માટે રાજકોટનું પ્રસિદ્ધ પેંડા લઈને ગયા હતા અને લતાજીની પાસે બેસીને ગીતો ગાયા હતા.