Khodiyar Jayanti 2022: યાત્રાધામ અંબાજીમાં સાદગીપૂર્ણ રીતે ઉજવાઈ ખોડિયાર જયંતી

By

Published : Feb 9, 2022, 12:34 PM IST

thumbnail

યાત્રાધામ અંબાજી ખાતે મંગળવારે ખોડિયાર જયંતીની ઉજવણી (Khodiyar Jayanti 2022) કરવામાં આવી હતી. જોકે, આ વખતે ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઓછી જોવા (Celebration of Khodiyar Jayanti in Ambaji) મળી હતી. અહીં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. સાથે જ ધાર્મિક પરંપરા મુજબ હોમ હવન કરી ખોડિયાર જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ વખતે ખોડિયાર માતાજીને 111 પ્રકારના વિવિધ વ્યંજનોનો અન્નકૂટ ધરાવવાનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંબાજીમાં નગરજનો માટે નિઃશુલ્ક સમૂહ ભોજન પ્રસાદ અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ખોડિયાર નવયુવક મિત્ર મંડળ (Celebration of Khodiyar Jayanti in Ambaji) દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.