રાજકોટમાં સ્વચ્છતા અભિયાન યોજાયું, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
રાજકોટ : કોટેચા ચોક અને ધર્મેન્દ્ર રોડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત ખાસ જોડાયા હતા. રાજ્યપાલે હાથમાં સાવરણો લઈને કોટેચા ચોક ખાતે સફાઈ કરી હતી. જેમની સાથે મેયર બીનાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. રાજ્યપાલે રાજકોટમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને યુવા પેઢીને આ મિશનમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે જણાવ્યું હતું.