Free Treatment in Porbandar : પાંડાવદર ગામના અભણ વૃદ્ધ આ રીતે કરે છે ઉપચાર, જાણો શું છે વિશેષતા...
પોરબંદર : પાંડાવદર ગામમાં રહેતા એક વૃદ્ધ લોકોની નસ પારખી શરીરમાં થતા દુ:ખાવા (Relieve the pain by examining vein) દૂર કરે છે. આ વૃદ્ધનું નામ ચનાબાપા છે. ચનાબાપા પાસે એક દિવસમાં 10થી 15 લોકો ઉપચાર માટે આવે છે. તે શરીર ના હાથ, પગ, કમર માં મૂઢ ઘા કે મચકોડાઈ જતા દુખાવો થતો હોય તો ચનાબાપા યોગ્ય નસ પારખી તેને સાજા કરે છે. જેમાં કોઈ પણ દોરા ધાગા કે અંધશ્રદ્ધા નથી માત્ર નસ પારખીને તેના પર પ્રેસ કરી ઉપચાર છે. ચનાબાપા વિનામૂલ્યે (Free Treatment in Porbandar) સારવાર નો ગુરુ મંત્ર જીવનમાં અપનાવ્યો છે. કોઈ પાસેથી કઈ લેતા નથી અને વિનામૂલ્યે સારવાર નો ગુરુ મંત્ર જીવન માં અપનાવ્યો છે.