દ્વારકા મંદિરમાં વસંતપંચમીના દિવસે દર્શન સમયમાં ફેરફાર

By

Published : Feb 4, 2022, 3:38 PM IST

thumbnail

યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ જગતમંદિરે (Dwarka Dwarkadhish Temple )આગામી 5/02/2022 શનિવારના રોજ મહા સુદ 05(પાંચમ)ના દિવસે વસંતપંચમી હોવાથી શ્રીજીના દર્શના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ, ઉત્સવ આરતી બપોરે 1:30 કલાકે તેમજ ઉત્સવ (Pilgrimage Dwarka )દર્શન બપોરે 1:30 થી 2:30 કલાક સુધી થશે. શ્રીજીના દર્શન બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી અનોસર બંધ રહેશે‌. તેમજ સાંજનો દર્શન કાર્યક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તેમજ સર્વે દર્શનાર્થીઓએ સરકારની કોવિડ 19ની ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવાનું વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.