વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ, સીએમના હસ્તે ત્રણ સંગીત નારીરત્નોને એનાયત થયાં એવોર્ડ - વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ
🎬 Watch Now: Feature Video


Published : November 22, 2023 at 3:26 PM IST
વડનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કલા ક્ષેત્ર અને કલાકારોને પુરસ્કાર અને પ્રોત્સાહનનું પીઠબળ પૂરું પાડી કલાનું જતન અને સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે. વડનગરની પૂણ્ય ધરા ઉપરથી તાનારીરી એવોર્ડથી સન્માનિત ત્રણેય સંગીત નારી રત્નોને અભિનંદન પાઠવ્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી અને ગુજરાતના મોનિકા શાહને, વર્ષ 2023નો એવોર્ડ આરતી અંકલિકરને એનાયત કરાયો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે 92 કરોડના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો છે અને વડનગરના સર્વાંગી વિકાસ માટે માસ્ટર પ્લાન પણ બનાવાયો છે.