આણંદમાં સંગીતના વિદ્યાર્થીઓ રેલાવ્યા ભક્તિના સુર
આણંદની ગણેશ ચોકડી પાસે આવેલ સરસ્વતી સંગીત ક્લાસીસમાં સંગીતનુ જ્ઞાન મેળવતા બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણના ભજનો સંગીતના તાલે ગાઈ ને નંદલાલ ને પ્રાથના કરી હતી આ કાર્યક્રમમાં સરસ્વતી સંગીત ક્લાસીસના સંચાલક તુષાર ભાઈ સાથે ગાયક તરીકે નેહા,ક્રિષ્ના,પ્રાચી,અને પ્રગણેશભાઈએ પોતાના શૂર ઉમેર્યા હતા જ્યારે તુષારભાઈ પાસે થી વાદ્ય જ્ઞાન થી મેળવેલા અમોઘ,ક્રિષાગ,મયુર અને હેત નામના બાળકોએ તબલા ના તાલ આપ્યા હતા જ્યારે યશ દ્વારા ઓક્ટોપેડ વગાડી ને તુષાર ભાઈ ના હાર્મોનિયમ સાથે સુમધુર સંગીત થી વાતાવરણ ને ભક્તિમય બનાવી મૂક્યું હતું.
Last Updated : Aug 30, 2021, 4:46 PM IST