સુરત માલધારી સમાજ 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ નહીં કરે, વેચશે પણ નહીં

By

Published : Sep 20, 2022, 4:27 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

સુરત માલધારી સમાજ 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ નહીં કરે અને વેચશે પણ નહીં. સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બરે દૂધ વિતરણ બંધ રાખવામાં આવશે. થોડા સમયથી માલધારી સમાજ સરકારની સામે લડી રહ્યાં છે. પોતાનો વિરોધ ઉગ્ર બનાવતાં રાજ્યભરમાં 21 સપ્ટેમ્બરે માલધારી સમાજે ડેરીમાં અને ઘેરઘેર જઇ દૂધ વિતરણ બંધ રાખ્યું છે. માલધારી સમાજ દ્વારા રખડતાં ઢોરોની જગ્યાએ તબેલાઓમાં બાંધેલા ઢોરોને ઉપાડી જવાને લઈને સરકાર સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેને લઇને માલધારી સમાજના ધર્મગુરુ સહિત લઈને અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે તબેલાઓ ઉપર તવાઈ બોલાવ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. આ બાબતને લઈને માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મૂકવામાં આવી છે. Milk distribution suspended in Surat , Maldhari Community Strike on 21 September , Maldhari Samaj Protest in Surat

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.